ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર તેના સ્પષ્ટ નિવેદનો માટે જાણીતોછે, પરંતુ આ વખતે તેણે એક મોટો ખુલાસો કર્યો છે. આ ઓળખ તેણે ભાજપની ટિકિટ પર લોકસભાનાં સાંસદ બન્યા પછી પણ જાળવી રાખી છે. પરંતુ તમે જાણો છો કે ભારતીય ક્રિકેટ ટીમે, એમએસ ધોનીની કપ્તાની હેઠળ, વર્ષ 2011 માં 28 વર્ષ બાદ બીજો વનડે વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો, તે ભારતીય ક્રિકેટ ચાહકો માટે ક્યારેય ભૂલી ન શકે તેવી ક્ષણ હતી. ગૌતમે આ વર્લ્ડ કપ અંગે ગંભીર નિવેદન આપ્યું છે.
ભારતીય ક્રિકેટ ટીમે એમએસ ધોનીની કેપ્ટનશીપમાં 2007 માં ટી-20નો પહેલો વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો અને આ સફળતા બાદ તે ભારતનો સૌથી સફળ કેપ્ટન પણ બન્યો હતો. ધોનીની આ બંને જીતમાં ટીમ ઈન્ડિયાનાં ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીરે પોતાના દેશ માટે શાનદાર ઇનિંગ્સ રમી હતી. બંને વર્લ્ડ કપમાં એક વાત સામાન્ય હતી, કે બંને વખત ફાઇનલમાં શાનદાર ઇનિંગ્સ રમવામાં આવી હતી. પરંતુ હવે એમએસ ધોની વિરુદ્ધ નિવેદનો આપીને તેણે એક નવા વિવાદને વેગ આપ્યો છે.
એક વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યુમાં ગંભીરે કહ્યું હતું કે, શ્રીલંકા સામે 2011 નાં વર્લ્ડ કપ ફાઇનલ દરમિયાન ધોનીની વાતોનાં કારણે તે સદી ફટકારી શક્યો ન હતો. ગંભીરનું કહેવું છે કે ધોનીએ તેને કહ્યું કે તે સદીની નજીક છે, તેનાથી તેનું ધ્યાન ભટકાઈ ગયું. ગંભીરે અંતિમ મેચમાં 97 રન ફટકાર્યા હતા, જ્યારે તે સદીથી માત્ર 3 રન દૂર રહ્યો હતો, ત્યારે તે થિસારા પરેરાનાં બોલ પર આગળ આને રમવા ગયો પરંતુ તે બોલ્ડ આઉટ થઇ ગયો હતો.
ગંભીર કહે છે કે ધોનીની સલાહથી હું વિચલિત થઈ ગયો અને હું મારી વિકેટ ગુમાવી બેઠો. ગંભીરનાં આઉટ થયા પછી ધોનીએ બેટિંગ ચાલુ રાખી હતી અને છક્કો ફટકારીને ટીમને જીત અપાવી હતી. ભારતે મેચ જીતી લીધી હતી, પરંતુ ગંભીર ફાઇનલમાં સદી ફટકારવાથી દૂર રહ્યો હતો, આ મેચમાં એમએસ ધોનીએ અણનમ 91 રન બનાવ્યા હતા અને તે મેન ઓફ ધ મેચ પસંદ કરાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.