હરદોઇ,
દેશભરમાં ભારતીય રેલ્વેની બેજવાબદારીને લઈ બનતી રેલ્વેની દુર્ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. આ ઘટનાઓમાં વર્ષ દરમિયાન હજારો લોકો પોતાના જીવ ગુમાવે છે, આ વચ્ચે વધુ એક ઉત્તરપ્રદેશના હરદોઇમાં વધુ એક રેલ્વે દુર્ઘટના સામે આવી છે.
હકીકતમાં, ઉત્તરપ્રદેશના હરદોઇમાં ત્રણ ગેંગમેન કલકત્તા-અમૃતસર અકાલ તખ્ત ટ્રેનની ચપેટમાં આવી ગયા હતા.
મળતી માહિતી મુજબ, સોમવારે બપોરે ૧૨ વાગ્યે રેલ્વે ટ્રેક પર વગર કોઈ બ્લોક ટ્રેકના મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું હતું. જો કે આ સમયે અચાનક જ અકાલ તખ્ત એક્સ્પ્રેસ ધસમસી આવી હતી અને ત્રણ ગેંગમેનને કચડી નાખ્યા હતા.
બીજી બાજુ અચાનક જ બનેલી આ ઘટના બાદ રેલ્વેના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોચ્યા છે આ દુર્ઘટનાને લઈ તપાસના આદેશ આપ્યા છે.
અ ઘટના અંગે રેલ્વે દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દુર્ઘટનાને લઈ જરૂરી કાર્ય કરવામાં આવી રહ્યું છે અને આ રેલ્વે રુટ પર ટ્રેનસેવા બાધિત થઇ હોવાના અહેવાલ મળ્યા નથી.