પીએમ મોદી સુરત અને નવસારીની મુલાકાતે આવ્યા છે ત્યારે પીએમ નવસારીમાં 110 કરોડના ખર્ચે બનેલ સ્મારકોનું લોકાર્પણ કરવાના છે. હાલ PM મોદી નવસારીના દાંડી ખાતે પહોંચ્યા છે.
દાંડી સ્મારકનું PM મોદીએ લોકાર્પણ હતું. આ દાંડી સ્મારક 110 કરોડના ખર્ચે બનેલું છે, PM મોદીએ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી.સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ સૌથી મોટો પ્રોજેક્ટ છે.
નમક સ્મારકમાં 80 સત્યાગ્રહીઓના સ્ટેચ્યૂ સહિત ગાંધી મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. રૂ.110 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા સ્મારકમાં સત્યાગ્રહીઓ અને આઝાદીના જંગમાં ભાગીદાર થનારાઓની સ્મૃતિઓ જીવંત સ્વરૂપે જોવા મળશે.
વિનસ હોસ્પિટલનું ઉદ્ધાટન કર્યા બાદ વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું હતું. જેમાં તેઓએ ગુજરાતમાં થઇ રહેલા હેલ્થ સેક્ટરના વિકાસ અંગે વાત કરી. તેઓએ કહ્યું કે હેલ્થ સેક્ટરમાં પ્રાઇવેટ ઇન્વેસ્ટ વધશે.
આ સિવાય તેઓએ કહ્યું કે અમે મેડિકલ સીટોમાં વધારો કર્યો છે, સાથે જ સવર્ણ અનામત બિલ પાસ કર્યું જેનાથી વધુ વિદ્યાર્થીઓને લાભ મળે.
પીએમ મોદીએ કહ્યું કે આદિવાસી વિસ્તારમાં અગાઉ એકપણ મેડિકલ કોલેજ ન હતી. પરંતુ હું મુખ્યમંત્રી બન્યો પછી અહીં મેડિકલ કોલેજની સ્થાપના કરવામાં આવી.વધુમાં મોદીએ જણાવ્યું કે આયુષ્માન યોજનાએ ખૂબ જ ટૂંકા ગાળામાં કરોડો લોકોને ફાયદો પહોંચાડ્યો છે. જે ખરા અર્થમાં એક ઉપલબ્ધિ છે.