મહેસાણા જિલ્લામાં મંદિરમાં લાઉડસ્પીકર વગાડવાના કારણે થયેલા ઝઘડામાં એક યુવકનું મોત થયું હતું, જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો હતો જે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. માહિતી બાદ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. મામલો મુંદરડા ગામના ઠાકોર વાસનો છે.
મળતી માહિતી મુજબ મંગળવારે સાંજે મુંદરડામાં રહેતા 46 વર્ષીય અજીતજી ઠાકોર તેમના નાના ભાઈ જસવંતજી ઠાકોર સાથે ઘરના કમ્પાઉન્ડમાં બનેલા મંદિરમાં દીવો પ્રગટાવી રહ્યા હતા. પૂજા બાદ તેમણે લાઉડસ્પીકર પર માતાના ભજન વગાડ્યા. થોડીવાર પછી પાડોશમાં રહેતા સદાજી ઠાકોર ત્યાં પહોંચ્યા અને અજીતજીને પૂછ્યું કે તમે લાઉડસ્પીકર કેમ વગાડો છો?
આરોપીઓએ લાકડા અને લોખંડના સળિયા વડે માર માર્યો હતો
અજીતજીએ કહ્યું કે સાંજ થઈ ગઈ છે, દીવો પ્રગટાવ્યા પછી મંદિરમાં લાઉડસ્પીકર વાગશે. આ પછી સદાજી ઠાકોર ત્યાંથી નીકળી ગયો અને થોડીવાર પછી છ લોકો સાથે અજીતજીના ઘરે પહોંચ્યા. ત્યારપછી બધાએ મળીને અજીતજી અને જસવંતજીને માર માર્યો અને તેમને ખરાબ રીતે ઘાયલ કર્યા. આરોપીઓએ બંને ભાઈઓને લાકડા અને લોખંડના સળિયા વડે માર માર્યો હતો. આ હુમલામાં જસવંતજી અને અજીતજી ગંભીર રીતે ઘાયલ થયા હતા.
બનાવ અંગે મૃતકની માતાએ પોલીસને જાણ કરી હતી
આ દરમિયાન ઘટનાસ્થળે હાજર અજીતજી અને જસવંતજીની માતા હંસા બેને પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી, બંને ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં લઈ ગયા પરંતુ તેમની હાલત નાજુક હોવાથી તેઓને મહેસાણાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. અહી પહોંચ્યા બાદ તબીબોએ જસવંતજી ઠાકોરને મૃત જાહેર કર્યા હતા.
પોલીસે છ લોકો સામે ગુનો નોંધ્યો
પોલીસે 6 લોકો સામે ગુનો નોંધ્યો છે. અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. જેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે તેમાં સદાજી ઠાકોર, વિષ્ણુજી ઠાકોર, બાબુજી ઠાકોર, જયંતિજી ઠાકોર, જવાનજી ઠાકોર અને વિનોદજી ઠાકોરનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: વરરાજાને લગ્નના હરખમાંને હરખમાં ડાન્સ કરતાં મળ્યું મોત, ઘોડે સવાર થવાને બદલે થયો અર્થીમાં સવાર