Gujarat/ રાજ્યનાં 4 મહાનગરોનો રાત્રિ કર્ફ્યુ લંબાવાયો, કોર કમીટીની બેઠકમાં લેવાયો નિર્ણય

રાજ્યમાં કોરોનાનાં કેસ સતત વધતા જતા હોવાના કારણે હવે રાજ્યનાં 4 મહાનગરોનો રાત્રિ કર્ફ્યુનો સમય લંબાવાયો છે.

Others Trending
Mantavya 21 રાજ્યનાં 4 મહાનગરોનો રાત્રિ કર્ફ્યુ લંબાવાયો, કોર કમીટીની બેઠકમાં લેવાયો નિર્ણય
  • રાજ્યના 4 મહાનગરોનો રાત્રિ કર્ફ્યુ લંબાવાયો
  • 15 માર્ચ સુધી લંબાવાયો રાત્રિ કર્ફ્યુ
  • કોર કમીટીની બેઠકમાં લેવાયો નિર્ણય
  • રાત્રે 12 વાગ્યા થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ

રાજ્યમાં કોરોનાનાં કેસ સતત વધતા જતા હોવાના કારણે હવે રાજ્યનાં 4 મહાનગરોનો રાત્રિ કર્ફ્યુનો સમય લંબાવાયો છે. મહાનગરપાલિકાની ચૂંટણી બાદ સતત વધી રહેલા કોરોનાનાં કેસ સરકાર પણ ચિંતામાં દેખાઇ રહી હતી. ત્યારે હવે કોર કમીટીની બેઠકમાં રાત્રિ કર્ફ્યુ લંબાવવાનો કડક નિર્ણય લેવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે, 4 મહાનગરોમાં 15 માર્ચ સુધી રાત્રીનાં 12 વાગ્યાથી સવારનાં 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. આપને જણાવી દઇએ કે, છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાવાયરસનાં કેસોમાં ધીમે ધીમે વધારો જોવા મળી રહ્યો છે. જેને હવે કાબુમાં લેવા માટે સરકાર તરફથી કોઇ કડક પગલા લેવાશે તેવી પૂર્વ ચર્ચાઓ થઇ રહી હતી, જે હવે સાચી સાબિત થઇ રહી છે.

Mantavya 22 રાજ્યનાં 4 મહાનગરોનો રાત્રિ કર્ફ્યુ લંબાવાયો, કોર કમીટીની બેઠકમાં લેવાયો નિર્ણય

રાત્રિ કર્ફ્યુ 15 માર્ચ સુધી લંબાવવા અંગેનો લેવાયો નિર્ણય

રાજયમાં કોરોનાનાં વધતા જતા કેસોને નિયંત્રણમાં લેવા માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે સંક્રમણને રોકવા માટે રાજ્યનાં ચાર મહાનગરપાલિકામાં કેસોમાં વધારો ધ્યાને લેતા રાત્રિ કર્ફ્યુ 15 માર્ચ માટે લંબાવવાનો રાજય સરકારે નિર્ણય લીધો છે. આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનાં અધ્યક્ષે યોજાયેલ કોર કમિટીની બેઠકમાં લેવાયેલ મહત્વનાં નિર્ણયોની વિગતો આપતા રાજયનાં અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ જણાવ્યુ હતું કે, કોરોનાનાં સેક્રમણને રોકવા માટે રાજયમાં સર્વેલંસ અને ધનવંતરી રથની કામગીરી સઘન બનાવવમાં આવશે. આ અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને વધી રહેલા સંક્રમણ માટે મુખ્યમંત્રી દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી. કોરોના સંક્રમણ અટકાવવા ધનિષ્ટ સર્વેલંસ કામગીરી તેમજ બોર્ડર એરીયા પર સ્ક્રીનિંગ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. તેમજ કોવિડ વેક્સીનેશન કામગીરીની સમીક્ષા કરી વેક્સીનેશન ઝડપથી પૂર્ણ થાય તે અંગે સુચનાઓ આપવામા આવી છે.

કોર કમિટીની બેઠકમાં લેવાયેલ મહત્વનાં નિર્ણયો

ડો. જયંતી રવિએ ઉમેર્યુ કે,મુખ્યમંત્રી દ્વારા કોર કમીટીનાં સભ્યો સાથે કોરોના કેસોની જિલ્લા/કોર્પોરેશન વાઇઝ સમીક્ષા કરવામાં આવી  અને ચાર મહાનગર પાલીકા વિસ્તારોમાં કેસો વધતા રાત્રિ કર્ફ્યુ 15 માર્ચ સુધી લંબાવવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ આ બેઠકમાં કોવિડ-19 રસીકરણ, ફેઝ-2 માટેની તૈયારીઓની સમીક્ષા પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્ય કક્ષાએ 104 કોરોના સંક્રમણ તેમજ કોવિડ-19 રસીકરણ કોલ સેન્ટર તથા તમામ જિલ્લા/કોર્પોરેશનમાં રસીકરણ માટે કોલ સેન્ટર દ્વારા થયેલ કામગીરીની સમીક્ષા કરીને કામગીરી વધુ સઘન કરવા પણ સૂચનાઓ આપી હતી. તેમણે ઉમેર્યુ કે,રાજયનાં નાગરિકોને કોવિડ-19 રસી અંગે અને રસીકરણ બાદની આડ અસર અંગે મુંઝવતા પ્રશ્નો વિશે લોકોને સમયાંતરે નિષ્ણાંતો દ્વારા માહિતગાર કરવા અને આરોગ્ય વિભાગને કાર્યક્રમનાં સફળ આયોજન માટે માર્ગદર્શન આપવા નિષ્ણાંતો સાથે ચર્ચા કરી સઘન કામગીરી કરવા મુખ્યમંત્રીએ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

રસી આપવા બાબતે ગુજરાત સમગ્ર દેશમાં પ્રતિ 10 લાખ વસ્તીની સામે પ્રથમ ક્રમે

વધુમાં તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સરકાર દ્વારા કોવિડ-19 નાં રસીકરણનાં પ્રથમ તબક્કામાં આજ દિન સુધી 4.82 લાખ હેલ્થ કેર વર્કર પૈકી કુલ 4.07 લાખ (84%)થી વધુ અને 5.41 લાખથી ફ્રન્ટલાઇન વર્કર પૈકી 4.14 લાખ (77%)થી વધુને કોવિડ-19ની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1.64 લાખ બીજા ડોઝને પાત્ર હેલ્થ કેર વર્કર પૈકી 1.23 લાખ (76%)ને બીજો ડોઝ, આપી દેવામાં આવેલ છે. ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ રસી આપવા બાબતે ગુજરાત સમગ્ર દેશમાં પ્રતિ 10 લાખ વસ્તીની સામે પ્રથમ ક્રમે છે. કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, પૂણે દ્વારા કોવિડ-19ની રસી કોવિશિલ્ડનાં 15.70 લાખ જેટલા ડોઝ, જ્યારે ભારત બાયોટેકની કોવેક્સિન રસીનાં 4.86 લાખ જેટલા ડોઝ પ્રાપ્ત થયા છે.

કોને અને કયા અપાશે રસી?

તેમણે ઉમેર્યુ કે, કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા સુચના મુજબ આગામી તા. 1લી માર્ચ, 2021નાં રોજ થી 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા (તા. 01.01.2022 સ્થિતિએ) તથા 45 થી 59 વર્ષ ઉંમરનાં અન્ય રોગ ધરાવતા (ઉંમર-01.01.2022 સ્થિતિએ અને બીમારી અંગેનું રજીસ્ટર્ડ મેડીકલ પ્રેક્ટીસનરનું પ્રમાણપત્ર) નાગરિકોને રસી આપવામાં આવશે. તબક્કાવાર સરકારી દવાખાના, CGHS તથા PMJAY/MA yojana અંતર્ગતની ખાનગી હોસ્પિટલોમાં રસી આપવામાં આવશે. સરકારી દવાખાનામાં રસી વિનામુલ્યે આપવામાં આવશે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં રૂ. 100/- વહીવટી ખર્ચ અને ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવનાર રસીની કિંમત લાભાર્થી પાસેથી લેવામાં આવશે.

કેટલા સેન્ટરોમાં રસીકરણ કામગીરી કરવામાં આવશે?

ડો. જયંતિ રવિએ કહ્યુ કે, બીજા તબક્કાનાં આ રસીકરણ અભિયાન માટે શરૂઆતનાં તબક્કે અંદાજીત 500 જેટલા સેન્ટર (સરકારી+ખાનગી) દ્વારા રસીકરણ કામગીરી કરવામાં આવશે. ત્યારબાદ ક્રમશ: તેમાં વધારો કરવામાં આવશે. રસી માટે લાયક લાભાર્થી કોવિન પોર્ટલ અથવા આરોગ્ય સેતુ એપ્લીકેશનમાં ઓનલાઇન સજીસ્ટ્રેશન કરાવ્યા બાદ રસી લઇ શકશે. અથવા રસીકરણનાં સ્થળ પર જઇને નોંધણી કરાવી રસી લઇ શકશે. નોંધણી માટે આધાર કાર્ડ અને જો આધાર કાર્ડ ઉપલબ્ધ ના હોય તો નિયત કરેલ ઓળખ કાર્ડ પૈકી કોઇપણ એક ઓળખ કાર્ડ તથા 45-59 વર્ષનાં કોમોર્બીડ સ્થિતી લાભાર્થીને રજીસ્ટર્ડ મેડીકલ પ્રેક્ટીસનરનું પ્રમાણપત્ર ફરજીયાત રજુ કરવાનું રહેશે. તમામ રસી લીધેલા લાભાર્થીઓને રસીકરણ થવા બાબતનું પ્રમાણપત્ર જે-તે રસીકરણનાં સ્થળેથી આપવામાં આવશે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ