સમગ્ર રાજય માં કોરોનાની બીજી લહેર ખુબ જ ભયાનક જોવા મળી હતી .કોરોનાની આ લહેર માં અનેલ લોકો કોરોના સંક્રમિત થયા હતા તેમજ અનેક ના મૃત્યુ પણ થયા હતા .સરકારે કેસો ને નિયંત્રણ માં લાવવા અનેક રાજયો માં મીની લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું જે હવે કેસો ઘટતા નિયંત્રણ હળવા કરવામાં આવી રહ્યા છે . જે અંતર્ગત આજથી રાહતનાં નવા નિયમો લાગું થયા છે. જુના નિયમો તારીખ 26 જૂન સવારે 6 વાગ્યા સુધી લાગું હતા, આજથી નવા નિયમો લાગું પડી રહ્યાં છે. આ નિયમો અનુસાર હવેથી રાજયના 18 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ હટાવી દેવાયો છે. જયારે રાજયના બાકીનાં 18 શહેરોમાં રાત્રે 10 થી સવારે 6 સુધી રાત્રિ કર્ફ્યૂ અમલી રહેશે. આ નિયમો અન્વયે હવેથી દુકાનો સહિત વ્યવસાયિક એકમો રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકશે.
આ સાથે રાજયમાં પરિવહન સેવાઓ પણ ચાલું રહેશે. જેમાં GSRTCની બસોમાં 75 ટકા ક્ષમતા સાથે છૂટ અપાઇ છે. જયારે પુસ્તકાલયો એટલે કે વાંચનાલયોની ક્ષમતા મુદ્દે 60 ટકાને મંજૂરી અપાઇ .
રાજયમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતા ધીરેધીરે લોકજીવન થાળે પડી રહ્યું છે. પરંતુ, આ વચ્ચે કોરોનાની ત્રીજી લહેર પણ દસ્તક દેતી નજરે પડી રહી છે. ત્યારે લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. કારણ કે કોરોનાની ત્રીજી લહેર અંત્યત ઘાતક હોવાનું સંશોધનકારો અનુમાન લગાવી રહ્યા છે. જેથી લોકોએ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવું અનિવાર્ય છે. નહિતર બીજી લહેરે જે રીતે કેર વર્તાવ્યો છે તેવા જ કેર સંભવિત ત્રીજી લહેરમાં જોવા મળી શકે છે.