- બિન અનામત વર્ગના આંદોલનનો મામલો
- અભિજીતસિંહ બારડનું સરકારને અલ્ટીમેટમ
- યુવા ક્ષત્રિય સેના અધ્યક્ષે આપ્યું અલ્ટીમેટમ
- જીઆર રદ્દ નહીં કર્યું તો શનિવારે મહેસાણા બંધ
- મહેસાણા સહિત ગુજરાતભરમાં બંધનું એલાન
LRD ભરતી મુદ્દે સરકાર દ્વારા રદ્દ કરવામાં આવેલા પરિપત્ર મુદ્દે શરૂ થયેલો વિવાદે હવે અનામત સામે બિન અનામત વર્ગના આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું છે. બીનાનામત વર્ગ ની ગાંધીનગર ખાતે મળેલી શિબિર બાદ આ આંદોલન ધીમે ધીમે ઉગ્ર બનતું જાય છે. LDR મહિલા ઉમેદવારોની જેમ જ બિન અનામત વર્ગ પણ સરકાર સામે લડી લેવા મક્કમ છે.
બિન અનામત વર્ગના આંદોલન મુદ્દે સરકાર ઝુકી, સાંજે 4 વાગે આગેવાનોને સરકારે મળવા બોલાવ્યા
જેને પગલે રાજ્ય સરકાર બિન અનામત વર્ગના આગેવાનો સાથે ચર્ચા કરવા તૈયાર થઈ હતી. અને ગત રોજ મંગળવારે સાંજે બેઠક નક્કી કરવામાં આવી હતી. જેને પગલે દિનેશ બાંભણિયા, રાજ શેખાવત અને પૂર્વિન પટેલ સહિતના આગેવાનો સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા હતા અને જ્યાં નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી સાથે બેઠક થઇ હતી. પર્તનું આ બેઠક માં કોઈ નિવેડો નાં આવતા cm સાથે ચર્ચા કરવાનું કહી છુટા પડ્યા હતા.
બિન અનામત વર્ગનું આ અંદોલન પણ ધીમે ધીમે જોર પકડતું જાય છે. બીન અનામત વર્ગના લોકો પણ સરકાર સામે લડીં લેવાના મુડ માં દેખાઈ રહ્યા છે. જે સંદર્ભે યુવા ક્ષત્રિય સેના અધ્યક્ષ અભિજીતસિંહ બારદે સરકાર ને અલ્ટીમેટમ આપ્યું છે. જો બિન અનામત વર્ગ ને નુકશાન કરતો જીઆર રદ્દ નહિ કરવામાં આવે તો શનિવારે મહેસાણા બંધનું પણ એલાન આપવામાં આવ્યું છે. તો સાથે ગુજ્ત્રત બંધના એલાનની પણ ચીમકી ઉચ્ચારી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.