નિર્દય પતિએ શારીરિક સંબંધ બાંધવાનો ઇનકાર કર્યા બાદ પહેલા તેની પત્ની પર દુષ્કર્મ ગુજાર્યો હતો, ત્યારબાદ તેના ખાનગી ભાગમાં એસિડ રેડ્યું હતું. આ હૃદયદ્રાવક ઘટના યુપીના કન્નૌજ જિલ્લાની છે. ઘટનાને અંજામ આપી આરોપી પતિ ફરાર થઈ ગયો હતો. માહિતી મળતાં પીડિતાના પિતા અને અન્ય સંબંધીઓએ મહિલાને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરી હતી. પીડિતાના પિતાની ફરિયાદના આધારે પોલીસે પતિ, જેઠ અને જેઠાણી સામે એફઆઈઆર નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
કન્નૌજના તિરવા સ્થિત ગામમાં રહેતી પીડિતાના જણાવ્યા અનુસાર, તેનો પતિ સોમવારે ઘરે પહોંચ્યો હતો. રાત્રે તેણે શારીરિક સંબંધ બાંધવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પત્નીએ ના પાડી. તેનાથી પતિ ગુસ્સે થયો અને તેણે બળજબરીથી તેના પર બળાત્કાર કર્યો અને પછી તેના પ્રાઈવેટ પાર્ટમાં એસિડ રેડ્યું. ઘટના બાદ આરોપી પતિ સ્થળ પરથી ભાગી ગયો હતો.
જ્યારે સ્થિતિ વધુ વણસી જતા મહિલાએ સૌરીચ વિસ્તારમાં રહેતા પરિવારના સભ્યોને ઘટનાની જાણ કરી હતી. માહિતી મળતાં પીડિતાના પિતા અને અન્ય સંબંધીઓએ તેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરી અને પોલીસને જાણ કરી. પીડિતાના પિતાના કહેવા મુજબ, દીકરીના લગ્નને પાંચ વર્ષ વીતી ગયા છે. તેને બે બાળકો પણ છે. આ હોવા છતાં, તેના જમાઈ, જેઠ અને જેઠાણી દહેજ માટે પુત્રીને હેરાન કરે છે.