Indian Army/ હવે ગુલામીની નિશાની ખતમ! આર્મીમાંથી હટશે બ્રિટિશ કાળની પ્રતીક પરંપરા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં નૌકાદળના નવા ધ્વજનું અનાવરણ કર્યું હતું, જેમાંથી બ્રિટિશ શાસનનું પ્રતીક રેડ ક્રોસ હટાવી દેવામાં આવ્યું છે.

Top Stories India
9 26 હવે ગુલામીની નિશાની ખતમ! આર્મીમાંથી હટશે બ્રિટિશ કાળની પ્રતીક પરંપરા
  • આર્મીમાંથી હટશે બ્રિટિશ કાળની પ્રતિક પરંપરા
  • વર્દી અને રેજિમેન્ટના નામોમાં થશે બદલાવ
  • ભારતીય સેનાએ છૂટછાટ માટે પ્રક્રિયાની કરી શરૂઆત
  • પી.એમ મોદીના નિર્દેશાનુસાર કરાશે કામગીરી
  • જનરલ મનોજ પાંડેનાં નેતૃત્વમાં કામગીરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં નૌકાદળના નવા ધ્વજનું અનાવરણ કર્યું હતું, જેમાંથી બ્રિટિશ શાસનનું પ્રતીક રેડ ક્રોસ હટાવી દેવામાં આવ્યું છે. હવે ચર્ચાએ જોર પકડ્યું છે કે સેનામાં તે તમામ પ્રથાઓને ખતમ કરવાની તૈયારી ચાલી રહી છે, જે આપણને બ્રિટિશ શાસનની યાદ અપાવે છે. આવનારા સમયમાં સૈનિકોના યુનિફોર્મ, સમારંભો તેમજ રેજિમેન્ટ અને ઈમારતોના નામમાં ફેરફાર જોવા મળી શકે છે. ગુરુવારે યોજાનારી બેઠકમાં સેનાના એડજ્યુટન્ટ જનરલ પ્રવર્તમાન રીત-રિવાજો, જૂની પ્રથાઓ અને નીતિઓની સમીક્ષા કરશે.આ નિર્દેશ વડાપ્રધાને આપ્યા છે. આ કામગીરી જનરલ  મનોજ પાંડેને સાેપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે  આ દિવસોમાં એક એજન્ડા નોટ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહી છે, દિગ્ગજોએ તેના પર પ્રતિક્રિયા આપી છે. સૈન્યના સૂત્રોએ જણાવ્યું હતું કે માત્ર એજન્ડાની નોંધોના પરિભ્રમણનો અર્થ એ નથી કે તમામ સૂચનો લાગુ કરવામાં આવશે. કોઈપણ ફેરફારો લાગુ કરવામાં આવે તે પહેલાં તેની વિગતવાર ચર્ચા કરવામાં આવશે.

સમીક્ષા બેઠકની એજન્ડા નોંધ મુજબ, જૂની અને બિનઅસરકારક પ્રથાઓને દૂર કરવાનો સમય આવી ગયો છે. તમને જણાવી દઈએ કે સેનાના યુનિફોર્મ અને સાધનસામગ્રીમાં ફેરફાર લાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે હાલ એ સ્પષ્ટ નથી કે ખભાની આસપાસ દોરડું યથાવત રહેશે કે કેમ. આ સિવાય રેજિમેન્ટના નામ પર પણ વિચાર કરવામાં આવશે. નોંધનીય છે કે એ કે શીખ, ગોરખા, જાટ, પંજાબ, ડોગરા, રાજપૂત અને આસામ જેવી પાયદળ રેજિમેન્ટને અંગ્રેજોએ નામ આપ્યું હતું.