દેશમાં કોરોના મહામારીની વચ્ચે હવે બ્લેક ફંગસના કેસમાં પણ સતત વધારો થઇ રહ્યો છે ત્યારે હવે યોગગુરૂ બાબા રામદેવે દાવો કર્યો છે કે તેઓ જલ્દી બ્લેક ફંગસની દવાને લઇને આવવાના છે. એક ચેનલના કાર્યક્રમમાં વાતચીત દરમિયાન યોગગુરુ બાબા રામદેવે આ દાવો કર્યો છે. તેમના નિવેદનને લઇને ઉઠેલા વિવાદના મુદ્દા પર વાતચીત દરમિયાન કહ્યું હતું કે, હું મારા કામથી મોઢું નથી ફેરવતો.
આ પણ વાંચો :કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકની તબિયત લથડી, હોસ્પિટલમાં કરાયા દાખલ
સ્વામી રામદેવે જણાવ્યું કે, ‘તમામ વિવાદો છતા હું 18 કલાક સેવા કરી રહ્યો છું અને ખૂબ જ જલ્દી, એક સપ્તાહની અંદર બ્લેક ફંગસ, યેલો ફંગસ અને વ્હાઈટ ફંગસની સારવાર આયુર્વેદ દ્વારા આપવાનો છું. કામ થઈ ચુક્યું છે અને પ્રક્રિયા ફાઈનલ સ્ટેજમાં છે. અમે હજુ પણ ફંગસની દવા બનાવી રહ્યા છીએ.’ સ્વામી રામદેવે જણાવ્યું કે, આઈએમએ ન તો કોઈ સાયન્ટિફિક વેલિડેશનની બોડી છે, ન તેમના પાસે કોઈ લેબ છે, ના તેમના પાસે કોઈ વૈજ્ઞાનિકો છે. આઈએમએ એક એનજીઓ છે.
પોતાના નિવેદન મુદ્દે સ્વામી રામદેવે જણાવ્યું કે, આયુર્વેદ અને યોગનો અનાદર થયો છે. આઈએમએ બલ્બને, પેન્ટને અને સાબુને વારંવાર પ્રમાણિત કરવાનું કામ કરી રહ્યું છે. જ્યારે કોરોનિલને અપ્રમાણિક કહીને આયુર્વેદની મજાક ઉડાવે છે. વિવાદ આ વાતનો છે અને મેં આટલું કહ્યું હતું.
આ પણ વાંચો :WHOએ ભારતમાં મળેલા કોરોના વેરિયન્ટ્સનું કર્યું નામકરણ, જાણો શું આપ્યું નામ
મહત્વનું છે કે કોરોનાના રસીકરણ અને એલોપેથીને લઈને આપવામાં આવેલા રામદેવના નિવેદનથી નારાજ સંગઠને તેમની વિરુદ્ધ કાર્યવાહી ન થવાની દિશામાં વિરોધ તેજ કરવાનું એલાન કર્યુ છે. ફોર્ડાના અધ્યક્ષ ડૉ. મનીષે દેશના તમામ આરડીએ 1 જૂનના રોજ બ્લેક ડે ઉજવશે તેમ કહ્યું હતું.
આ પણ વાંચો :કાશી વિશ્વનાથ ધામમાં જર્જરિત ઈમારત ધરાશાયી, બે મજૂરોનાં મોત