ભગવાન શિવને પાણી અને દૂધ અર્પણ કરવામાં આવે છે પરંતુ સુરતમાં એક એવું મંદિર છે કે જ્યાં ભગવાન શિવને વર્ષમાં એક વખત બાધા પૂરી કરવા માટે લોકો જીવતા કરચલા અર્પણ કરે છે આ મંદિર સુરતના ઉમરા ગામમાં આવેલું છે અને કાનના રોગથી પીડાતા લોકોને દર્દમાંથી મુક્તિ મળતા જે તેઓ વર્ષમાં એકાદશીના દિવસે ભગવાન શિવને જીવતા કરે છેલ્લા અર્પણ કરી બાધા પૂરી.
શહેરના ઉમરા વિસ્તારમાં એક અનોખા મહાદેવનું મંદિર આવે છે. સામાન્ય રીતે મહાદેવ પર દુધ, જળ અને તલ જેવા પદાર્થોનો અભિષેક કરવામાં આવતો હોય છે. જો કે સુરતના રામનાથ-ઘેલા મંદિરમાં પોષી એકાદશીએ શિવજી પર જીવતા કરચલાથી અભિષેક કરવામાં આવે છે. મોટા શ્રદ્ધાળુઓ દ્વારા જીવતા કરચલા ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે.
જો કોઇને કાનને લગતી બિમારી હોય અને આ મહાદેવ પર આસ્થા રાખે તો કાનનાં રોગ દુર થાય છે. બદલામાં ભાવિકો દ્વારા કરચલા ચડાવવામાં આવે છે. લીધેલી બાધા પૂર્ણ કરવા ભાવિકોએ સવારથી મંદિરે જીવતાં કરચલાં લઈને પહોંચી પૂજા-અર્ચના કરતા હોય છે. ઉમરા અને તેની આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં આ મહાદેવના મંદિરે જીવતા કરચલા ચડાવવા માટે આવે છે અને વહેલી સવારથી જ મંદિર બહાર મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી. જો કે આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે કોઈ વ્યક્તિને કાનની પીળા હોય અને આ પીળા માંથી મુક્તિ માટે તેઓ ભગવાન શિવની બાધા રાખે છે અને કાનની પીડામાંથી મુક્તિ મળતા જ આ લોકો જીવતા કરે છે લા ભગવાન શિવને અર્પણ કરે છે મહત્વની વાત છે મંદિર ટ્રસ્ટ દ્વારા આ જીવતા કરચલાઓને સલામત રીતે તાપી નદીમાં છોડી દેવામાં આવે છે.
આ પણ વાંચો:ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધતાં પાકોને નુકસાન, બનાસકાંઠાના ખેડૂતો ચિંતિત
આ પણ વાંચો:ફૂડ પોઇઝનિંગથી હવે માણસો જ નહી પશુઓના પણ મોત
આ પણ વાંચો:ગેરકાયદેસર દબાણોથી લોકોના હાલ – બેહાલ, તંત્રના ટ્રાફિક સપ્તાહ સામે પણ ઉઠ્યા સવાલો