વિશ્વાસ ભોજાણી, ગોંડલ@ મંતવ્ય ન્યૂઝ
જમીન વિકાસ બેંકની આગામી તારીખ 7 ના ચુંટણી યોજાનાર હોય રાજકોટ મોરબી જિલ્લાના ડિરેક્ટર તરીકે ગોંડલના હરદેવસિંહ જાડેજા અને વાંકાનેરના દશરથસિંહ જાડેજા એ ઉમેદવારી નોંધાવી હતી, દરમિયાન દશરથસિંહ જાડેજા દ્વારા હરદેવસિંહ જાડેજાને ટેકો જાહેર કરવામાં આવતા જમીન વિકાસ બેન્કના ચૂંટણીના સમીકરણો બદલાવા પામ્યા છે.આમ થવાં થી હરદેવસિહ જાડેજા બીનહરીફ થશે.
વાંકાનેર શાખાના જિલ્લા પ્રતિનિધિ કોટડા નાયાણીના દશરથસિંહ સજ્જનસિંહ જાડેજાએ પણ ઉમેદવારી દાખવી
આ તકે વાંકાનેર શાખાના છેલ્લા 18 વર્ષથી પ્રતિનિધિત્વ કરતા દશરથસિંહ સજ્જનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ઉમેદવારી પરત ખેંચવાની તારીખ વીતી જવા પામી છે પરંતુ ગોંડલના હરદેવસિંહ જાડેજા ઉપર મને સંપૂર્ણ વિશ્વાસ છે તેઓ સર્વેને સાથે રાખી ખેડૂતના હિતમાં કાર્યો કરશે તેથી અમારા ઉમેદવારી માંથી ખસી જઈ ટેકો જાહેર કરવામાં આવ્યો છે.
આ કાર્યને સાંસદ મોહનભાઇ કુંડારીયા, યોગેન્દ્રસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ જાડેજા તેમજ દિનેશભાઈ ભૂવા સહિતનાઓ દ્વારા બિરદાવામાં આવ્યું છે. જ્યારે હરદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે દશરથસિંહ જાડેજા દ્વારા જે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે તેમાં ક્યારેય પણ કચાસ રાખવામાં આવશે નહીં, આ તકે યુવા ભાજપ અગ્રણી ગણેશસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સમીરભાઈ કોટડીયા સહિતનાઓ હાજર રહ્યા હતા.