હોસ્પીટાલીટી સ્ટાર્ટ અપ ઓયો હોટેલ્સે નવા ચીફ એક્ઝીક્યુટીવની નિમણુંક કરી છે. આદિત્ય ઘોષ, જે પૂર્વ ઈન્ડીગોનાં પ્રેસિડેન્ટ હતા. તેઓ ભારત અને સાઉથ એશિયા માટે ઓયો હોટેલ્સનાં સીઈઓ તરીકે ચુંટાયા છે.
આદિત્ય ઘોષ પોતાનો નવો કાર્યભાર 1 ડીસેમ્બર, 2018થી સંભાળશે. આદિત્ય ઘોષે જુલાઈમાં ઈન્ડીગો છોડ્યું ત્યારબાદ તેઓ ટાટા ટ્રસ્ટમાં એડવાઇઝર તરીકે જોડાયા હતા અને હવે આવતાં મહિનાથી તેઓ ઓયો હોટેલ્સમાં સીઈઓ તરીકે જોડાશે.
આદિત્ય ઘોષ એક સારા વકીલ તરીકે પણ પ્રખ્યાત છે. મજાની વાત તો એ છે કે, આદિત્ય પાસે એમબીએની ડીગ્રી પણ નથી. એ એક કોર્પોરેટ લો બેકગ્રાઉન્ડમાંથી આવે છે. રીતેશ અગ્રવાલ જે ઓયો હોટેલ્સ ગ્રુપનાં સ્થાપક છે એમણે જણાવ્યું હતું કે, આદિત્યની જવાબદારી કંપનીનો ગ્રોથ કરવાની રહેશે.