લાંબા સમય બાદ પાકિસ્તાની રેન્જર્સ દ્વારા સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. પાકિસ્તાનના ગોળીબારમાં BSFના બે જવાન ઘાયલ થયા છે. ફેબ્રુઆરી 2021માં ભારત અને પાકિસ્તાનની સેનાઓ વચ્ચે યુદ્ધવિરામને લઈને સમજૂતી થઈ હતી. ત્યાર બાદ ફાયરિંગની આ પહેલી ઘટના છે.
માહિતી અનુસાર, પાકિસ્તાને લગભગ 8થી 10 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. પરંતુ BSFએ હજુ સુધી આ મામલે સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. જણાવવામાં આવી રહ્યું છે કે બીએસએફના જવાનો અરનિયા સેક્ટરમાં એક થાંભલા પાસે કોઈ કામમાં રોકાયેલા હતા. એક જવાન થાંભલાની નીચે હતો જ્યારે બીજો જવાન થાંભલાની ટોચ પર ચડી ગયો હતો.
અચાનક પાકિસ્તાન તરફથી ગોળીબાર થયો. જેના કારણે થાંભલા પર ચઢી રહેલા સૈનિકને ગોળી વાગી હતી. નીચે ઊભેલા સૈનિકની ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, તેમને પણ ગોળી વાગી હતી. બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે જીએમસી જમ્મુમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલ સૈનિકોમાં અનુકુલ સાહાના પુત્ર 44 વર્ષીય આલોક સાહા અને 35 વર્ષીય સુરજિત બિસ્વાસનો સમાવેશ થાય છે.
બંને જવાનો પશ્ચિમ બંગાળના રહેવાસી છે. સરહદ પર લાંબા સમય સુધી શાંતિ હતી. પરંતુ પાકિસ્તાને ફરી ગોળીબાર કર્યો હતો. જેના કારણે જવાનોને ગોળી વાગી હતી. આ પહેલા પણ પાકિસ્તાન તરફથી સીઝફાયર ઉલ્લંઘનના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હાલમાં 8 થી 10 રાઉન્ડ ફાયરીંગ થયાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: Diwali Bonus/ મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી પહેલા આપી આ મોટી ભેટ
આ પણ વાંચો: Gaza Hospital Attack/ ‘ઈઝરાયલે હુમલો નથી કર્યો, ઈસ્લામિક જેહાદના રોકેટે મિસ ફાયર કર્યું’: નેતન્યાહુ
આ પણ વાંચો: Israel Hamas War/ પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિએ જો બાઈડેન સાથેની મહત્વપૂર્ણ બેઠક રદ કરી!