Not Set/ પંચમહાલ: વાનમાં શોટ સર્કિટ થતા લાગી ભીષણ આગ, કોઈ જાનહાની નહીં

પંચમહાલ. આજ રોજ સવારે પંચમહાલમાં રોડ પર ચાલુ વાનમાં ભીષણ આગ ભડકી જતા અફરા તફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. આપને જણાવી દઈએ કે આ આગ વાનમાં શોર્ટ સર્કિટથી કારણે લાગી હતી. જો કે ચાલુ વાનમાં અચાનક આગ જ લાગતા તમામ મુસાફરો વાન બહાર નીકળી ગયા હતા. ઘટના ઘટતા જ મુસાફરો બહાર નીકળી જવાના કારણે કોઈ […]

Top Stories Gujarat
jkasfhgjsagjkhgkajdgfjkah પંચમહાલ: વાનમાં શોટ સર્કિટ થતા લાગી ભીષણ આગ, કોઈ જાનહાની નહીં

પંચમહાલ.

આજ રોજ સવારે પંચમહાલમાં રોડ પર ચાલુ વાનમાં ભીષણ આગ ભડકી જતા અફરા તફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.

આપને જણાવી દઈએ કે આ આગ વાનમાં શોર્ટ સર્કિટથી કારણે લાગી હતી. જો કે ચાલુ વાનમાં અચાનક આગ જ લાગતા તમામ મુસાફરો વાન બહાર નીકળી ગયા હતા. ઘટના ઘટતા જ મુસાફરો બહાર નીકળી જવાના કારણે કોઈ પણ જાતની જાનહાની નહોતી થઇ. વાન સળગતા રાહદારીઓના ટોળાં પણ ઘટના સ્થળે જામી આવ્યા હતા.

ત્યારે તાત્કાલિકપણે આગ પર પગલાં ભરતાં હાલોલ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જયારે ફાયર બ્રિગેડ ટીમે તત્કાલ કાર્યવાહી હાથ ધરી હતી, અને હાલતને કાબુમાં લીધી હતી. આપને જણાવી દઈએ કે આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નથી થઇ.