દેશમાં ખેડુતોનું આંદોલન કૃષિ કાયદાના વિરુદ્ધ આગળ વધી રહ્યું છે. આ જોતાં પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ અકાલી દળના નેતા પ્રકાશસિંહ બાદલે કૃષિ કાયદાના વિરોધમાં તેમનો પદ્મ વિભૂષણ સન્માન પરત કરી દીધો છે.
પ્રકાશસિંહ બાદલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને કૃષિ કાયદાઓનો વિરોધ કરતાં 3 પાનાનો પત્ર લખ્યો છે. બાદલે લખ્યું કે, ‘હું એટલો ગરીબ છું કે મારી પાસે ખેડૂતો માટે બલિદાન આપવા સિવાય બીજું કશું નથી, હું જે કાંઈ પણ છું તે ખેડુતોના કારણે છું … તેથી જો ખેડુતોનું અપમાન કરવામાં આવી રહ્યું છે, તો આ પ્રકારનો સન્માન રાખવાનો કોઈ અર્થ નથી. “
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…