રાજ્યમાં કોરોનાના નવા 195 કેસ નોંધાયા
આજે કોરોનાથી 182 દર્દીઓ થયા સાજા
રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1353
અમદાવાદ શહેરમાં કોરોનાના 50 કેસ
વડોદરા શહેરમાં કોરોનાના 19 કેસ
રાજકોટ શહેરમાં કોરોનાનો 03 કેસ
સુરત શહેરમાં કોરોનાના 09 કેસ
ગાંધીનગર શહેરમાં કોરોનાના 04 કેસ
કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 07 સપ્ટેમ્બરના રોજ નવા 195 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1353 થઈ છે. જ્યારે કોરોનાથી 182 દર્દીઓ સાજા થયા છે. તેમજ રાજ્યના કોરોના રિકવરી રેટ 99.03 ટકા થયો છે. આજે કોરોનાના કારણે એક પણ વ્યક્તિનું મૃત્યુ નથી થયું.
આજે નોંધાયેલા નવા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 50,સુરતમાં 46, વડોદરામાં 19, નવસારીમાં 10, સુરત જિલ્લામાં 09, કચ્છમાં 07, મહેસાણામાં 07, વલસાડમાં 07, ગાંધીનગર જિલ્લામાં 05, પોરબંદરમાં 05, ગાંધીનગરમાં 04, બનાસકાંઠામાં 03, મોરબીમાં 03, રાજકોટમાં 02, સાબરકાંઠામાં 02, અમદાવાદ જિલ્લામાં 01, અમરેલીમાં 01, આણંદમાં 01, ભરૂચમાં 01, દાહોદમાં 01, પંચમહાલમાં 01, પાટણમાં 01 અને સુરેન્દ્રનગરમાં 01 કેસ નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે સરકાર કોરોના માટે વેકેસીન અભિયાન હાથધર્યું છે,રાજ્યને કોરોના મુક્ત કરવા માટે કેન્દ્ર સરકારે વેકસિન પર ભાર મુક્યો હતો જેના લીધે દેશમાં કોરોના સ્થિતિ નિયંત્રણમાં છે. છતા પણ કેસમાં વધઘટ થતી રહે છે.