બુધવારે ભુવનેશ્વરથી નવી દિલ્હી જતી ફ્લાઇટ ટેકઓફ કર્યાની થોડી મિનિટોમાં જ પાછી ફરી હતી અને કરા પડતાં પ્લેનને નુકસાન થતાં તેને ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. વિમાનમાં સવાર 169 મુસાફરો અને ક્રૂ સુરક્ષિત છે. નવી દિલ્હી જતી વિસ્તારા ફ્લાઇટ ટેકઓફ કર્યાના માંડ 10 મિનિટ બાદ બીજુ પટનાયક ઇન્ટરનેશનલ એરપોર્ટ (BPIA) પર પાછી લેન્ડ થઈ હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
પ્રારંભિક માહિતી અનુસાર, આજે બપોરે ઓડિશાના ઘણા ભાગોમાં કરા પડતાં વિમાનની વિન્ડશિલ્ડમાં તિરાડ પડી ગઈ હતી. BPIAના ડિરેક્ટર પ્રસન્ના પ્રધાને જણાવ્યું હતું કે, “એક વિન્ડશિલ્ડને નુકસાન થયું છે, જ્યારે મુસાફરોને કોઈ નુકસાન થયું નથી.”
❄️Vistara Flight UK788 from Bhubaneswar to Delhi encountered a hailstorm soon after departure.
❄️The aircraft sustained significant damage.
❄️After 20-25 minutes of takeoff, the A320neo made an emergency landing at Bhubaneswar Airport.
❄️The aircraft involved is 2.7 years old… pic.twitter.com/JULcv4txzE
— JetArena (@ArenaJet) May 1, 2024
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરીની લોકસભા બેઠકની ચૂંટણીની તારીખોમાં કરાયો ફેરફાર
આ પણ વાંચો:હેમંત સોરેનની જમાનત અરજી પર આજે PMLA કોર્ટમાં થશે સુનાવણી, જમીન કૌભાંડ કેસ સંબંધિત વિવાદ
આ પણ વાંચો:બંનેમા વાસના હતી, પરંતુ માત્ર છોકરો બલિનો બકરો બન્યો,POCSO કેસમાં હાઈકોર્ટે આ શું કહ્યું ?