દર વર્ષની માફક આ વર્ષે પણ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના સરહદ પર દિવાળીની ઉજવણી કરશે … પરંતુ આ વખતે ચીનના બોર્ડર પર ITBPના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરશે… ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભારત-ચીન બોર્ડર પર જવાનો સાથે ઉજવણી કરશે અને ત્યાર બાદ તેમની સાથે વાતચીત પણ કરશે.. પીએમ 29 ઓક્ટોમ્બરે વાયૂસેનાના ખાસ વિમાન એમઆઈ 17 હેલીકૉપ્ટરથી ગૌચર પહોંચશે. પીએમ સાથે NSA અજીત ડોભાલ પણ હાજર રહેશે. પીએમ સૌપ્રથમ સવારના ભગવાન બદ્રીનાથના દર્શન કરશે. પૂજા અર્ચના કર્યા બાદ પીએમ બદ્રીનાથથી આગળ માણામાં આઈટીબીપી અને સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરશે.