Ahmedabad/ PM નવીન રામગુલામે ગુજરાત અને મોરેશિયસ વચ્ચેના રસપ્રદ જોડાણની કહી આ વાત, PM મોદીની મોરેશિયસ મુલાકાત દરમિચાન

PM મોદી જ્યારે મોરેશિયસ ગયા હતા ત્યારે મોરેશિયસના PM નવીન રામગુલામે ગુજરાત સાથેના જોડાણની વાત કહી હતી. મોરેશિયસ અને ગુજરાતના ઐતિહાસિક જોડાણો વિશે તેને શું કહ્યું જાણો.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad : PM મોદી 11 માર્ચે મોરેશિયસ પહોંચ્યા હતા અને સર સીવુસાગુર રામગુલામ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર તેમના મોરેશિયસ સમકક્ષ રામગુલામે માળા પહેરાવીને ઔપચારિક સ્વાગત કર્યું હતું. રામગુલામ સાથે નાયબ વડા પ્રધાન, મોરેશિયસના મુખ્ય ન્યાયાધીશ, રાષ્ટ્રીય સભાના અધ્યક્ષ, વિરોધ પક્ષના નેતા, વિદેશ પ્રધાન, કેબિનેટ સચિવ, ગ્રાન્ડ પોર્ટ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલના અધ્યક્ષ અને અન્ય ઘણા લોકો જોડાયા હતા. પીએમ મોદીનું સ્વાગત કરવા માટે કુલ 200 મહાનુભાવો હાજર હતા.

ગુજરાત અને મોરેશિયસ વચ્ચેનો સંબંધ ઘણા વર્ષો જૂનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોરેશિયસની મુલાકાત દરમિયાન આ ઐતિહાસિક જોડાણો સામે આવ્યા હતા. મોરેશિયસના વડાપ્રધાન નવીન રામગુલામે એક ઘટના વર્ણવી હતી, જેમાં મોરેશિયસના સ્થાપક અને પ્રથમ વડાપ્રધાન સર સીવુસાગુર રામગુલામે એકવાર ઉલ્લેખ કર્યો હતો કે વિઠ્ઠલભાઈ પટેલ તેમના માર્ગદર્શક હતા. વધુમાં, સર હરિલાલ વાઘજી જેઓ નેશનલ એસેમ્બલીના પ્રથમ સ્પીકર હતા, તેઓ ગુજરાતી મૂળના હતા.

મહાત્મા ગાંધીએ ઓક્ટોબર 1901માં ડરબનથી મુંબઈની મુસાફરી દરમિયાન મોરેશિયસની મુલાકાત લીધી હતી અને ઘણા દિવસો સુધી ત્યાં રોકાયા હતા. ગાંધીજીની સલાહ પર મણિલાલ મગનલાલ ડોક્ટર મોરેશિયસ ગયા અને તેમની સ્વતંત્રતા ચળવળને ટેકો આપવા માટે ત્યાં ઘણો સમય વિતાવ્યો હતો. મોદીએ મોરેશિયસમાં સમુદાયને સંબોધતા કહ્યું હતું કે મોરેશિયસ ભારતના પશ્ચિમી રાજ્યોને ખાંડ સપ્લાય કરે છે, જેના કારણે તેને ગુજરાતીમાં ‘મોરસ’ કહેવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઘર કે ઓફિસમાં CCTV કેવી રીતે રાખશો સુરક્ષિત? હર્ષ સંઘવીએ આપી જરૂરી ટીપ્સ

આ પણ વાંચો:ગાંધીધામ કચ્છ પોલીસને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા

આ પણ વાંચો:રાજકોટ હોસ્પિટલના CCTV ફૂટેજ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી