- આગ બાદ બોટની સમુદ્રમાં જળ સમાધિ
- માછીમારોનો અન્ય ફિશિંગ બોટના માછીમારો બચાવ્યા
- એક માછીમાર સમુદ્રમાં લાપતા હોવાના સમાચાર
- દિવના વણાંકબારા બંદરની બોટમાં આગ
- રેસ્ક્યુ કરાયેલા માછીમારોને પોરબંદર આવવા રવાના
પોરબંદર ખાતે દરિયામાં અચાનક એક ફિશિંગ બોટમાં આગ લાગી હતી. અને દરિયામાં ડૂબી ગઈ હતી. આ બોટમાં 7 ખલાસીઓ સવાર હતા. તેમાંથી 6નો આબાદ બચાવ થયો છે. જ્યારે 1 ખલાસી લાપતા હોવાનું જાણવા મળ્યું છે. જેની શોધખોળ ચાલી રહી છે.
અરબી સમુદ્રમાં દિવના વણાંકબારા બંદરની એક બોટમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ બોટમાં સાત જેટલા ખલાસીઓ સવાર હતા. બોટમાં આગ લાગતા આસપાસની બોટના ખલાસીઓએ 6 ખલાસીઓને બચાવી લીધા હતા. જ્યારે એક ખલાસી લાપતા થઈ ગયો છે. જેની શોધખોળ ચાલુ કરવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે, બોટમાં આગ લગતા આસપાસ રહેલી અન્ય બોટના ખલાસીઓએ તેનો લાઈવ વીડિયો ઉતાર્યો છે. જેમાં બોટ સળગતી નજરે પડી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.