Not Set/ કાશ્મીરમાં કટ્ટરપંથ ખુબ ઝડપથી ફેલાયો,આતંકવાદીઓને ખાવા પીવાનું સ્થાનિકથી મળી રહે છે

જમ્મુ -કાશ્મીરમાં વધેલા આતંકવાદી હુમલાઓ અંગે એજન્સીઓ ખૂબ સર્તક જોવા મળે છે.એજન્સીઓના જણાવ્યા અનુસાર કેન્દ્રશાસિત પ્રદેશમાં કટ્ટરપંથ ખુબ ઝડપથી ફેલાઈ ગયો છે.

Top Stories India
Untitled 370 કાશ્મીરમાં કટ્ટરપંથ ખુબ ઝડપથી ફેલાયો,આતંકવાદીઓને ખાવા પીવાનું સ્થાનિકથી મળી રહે છે

જમ્મુ -કાશ્મીરમાં વધેલા આતંકવાદી હુમલાઓ અંગે એજન્સીઓ ખૂબ સર્તક જોવા મળે છે.એજન્સીઓના જણાવ્યા અનુસાર કેન્દ્રશાસિત પ્રદેશમાં કટ્ટરપંથ ખુબ ઝડપથી ફેલાઈ ગયો છે. આ પણ એક મોટી સમસ્યા બની ગઇ છે જેના લીધે આતંકવાદીઓને ખાવા પીવાનું સ્થાનિક લોકો પાસેથી  મળી રહ્યું છે. જમાત અને વહાબી વિચારધારાનો અહી જબરદસ્ત ફેલાવો થયો છે  આ હુમલા પાછળ અને નવી રીતે આતંકવાદી પ્રવૃત્તિઓમાં અભણ  લોકોની સંડોવણી હોવાનું માનવામાં આવે છે. એજન્સીઓ માની રહી છે કે કાશ્મીરના મોટા ભાગોમાં કટ્ટરપંથ ફેલાઈ ગયો છે. ખીણમાં વહાબી વિચારધારા ફેલાવવા માટે પાકિસ્તાને તેની સંપૂર્ણ તાકાત લગાવી દીધી  છે.

કેટલાક અન્ય કટ્ટરપંથી વિદેશી દળો પણ તેની પાછળ  હોવાનું મનાઇ રહયું છે. ગુપ્તચર માહિતી પણ સૂચવે છે કે કાશ્મીરમાં તાજેતરનો પડકાર આતંકવાદ સાથે ધાર્મિક કટ્ટરવાદ છે. આ માટે એજન્સીઓ એ સોશિયલ મીડિયામાં પ્રભાવ ધરાવતા કેટલાક જૂથોના એકાઉન્ટર પર નજર રાખી રહી છે. જેહાદી આતંકવાદીઓ કાશ્મીરમાં સામાન્ય લોકો, લઘુમતીઓ અને બિન-કાશ્મીરીઓને નિશાન બનાવી રહ્યા છે. આ ભયના કારણે પ્રવાસી મજૂરોને સતત સ્થળાંતર કરવાની ફરજ પડી શકે છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે ઘાટીમાં છેલ્લો મોટી હિજરત જાન્યુઆરી 1990 માં થયો હતો જ્યારે જેહાદી આતંકવાદીઓ કાશ્મીરી પંડિતોની પસંદગીપૂર્વક હત્યા કરી રહ્યા હતા. કાશ્મીરનો મોટો ભાગ ધાર્મિક ઉન્માદથી પ્રભાવિત થઈ રહ્યો છે.

કાશ્મીરના રાજકીય વિશ્લેષક પ્રોફેસર નૂર અહમદ બાબા કહે છે કે કાશ્મીરમાં આતંકવાદીઓ ઘણીવાર મુસ્લિમોની પણ હત્યા કરે છે. તેથી, તેને ધર્મ સાથે જોડવો જોઈએ નહીં, પરંતુ બીએસએફના ભૂતપૂર્વ અધિકારીઓનું કહેવું છે કે આનું કારણ પણ ધાર્મિક છે. આ આતંકવાદી સંગઠનો બિન મુસ્લિમોને  નિશાન બનાવે છે. સામાન્ય જીવન જીવતા મુસ્લિમોને લોકોને પણ  મારી નાખવામાં આવે છે.

કલમ 370 હટાવ્યા બાદ યુવાનોનું બ્રેઇનવોશ કરવાનું અભિયાન પણ તેજ બન્યું છે. મસ્જિદો અને મદરેસાઓમાં કટ્ટરવાદનો ઝડપથી ફેલાઈ રહ્યો છે.આતંકવાદી સંગઠનો જમ્મુ -કાશ્મીરમાં નવા નામથી આતંક ફેલાવી રહ્યા છે. મજૂરો, કાશ્મીરી પંડિતો અને બિન-કાશ્મીરીઓની હત્યામાં ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ આતંકવાદી સંગઠનનું નામ સામે આવી રહ્યું છે