રાજકોટ,
રાજકોટમાં પંચયાત ચોકમાં વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલક મહિલાએ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં કારની ટક્કરથી એક વિદ્યાર્થીનીનું મોત થયું છે.
તો બીજી બીજુ આ મામલે તંત્રની અસંવેદનશીલતા જોવા મળી હતી તંત્ર દ્વારા વદ્યાર્થીના મૃતદેહને એમ્બ્યુલન્સના બદલે છકડામાં પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
જો કે ચોંકાવનારી વાત એ છે કે પોલીસની સામે મૃતકને છકડામાં લઇ જવામાં આવી હતી.
અકસ્માતમાં મૃત્યુ પામનાર વિદ્યાર્થીની 18 વર્ષની હતી અને તેનું નામ ચાર્મી છે. વિદ્યાર્થીનીના મોતના કારણે પરિવાર, શાળામાં અને મિત્ર વર્તુળમાં શોકનો માહોલપ્રસરી ગયો છે.