Not Set/ ઉજ્જૈનમાં બે કારો વચ્ચે થયો ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના પાંચ લોકો સહિત ૧૨ના મોત

ઉજ્જૈન, પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં ઉજ્જૈનમાં એક ગમખ્વાર અકસ્માત થયા હોવાની ઘટના સામે આવી છે, જ્યાં બે કારો વચ્ચે ભીષણ ટક્કર થઇ હતી. આ ઘટનામાં કુલ ૧૨ લોકોના મોત થયા છે, જયારે અન્ય ૨ ઘાયલ પણ થયા છે. આ ૧૨ મૃતકોમાંથી એક જ પરિવારના ૫ લોકો શામેલ છે. આ અકસ્માત ઉજ્જૈનના રામગઢ ગામ નજીક થયો હતો, […]

Top Stories India Trending
DFjw3E F ઉજ્જૈનમાં બે કારો વચ્ચે થયો ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના પાંચ લોકો સહિત ૧૨ના મોત

ઉજ્જૈન,

પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં ઉજ્જૈનમાં એક ગમખ્વાર અકસ્માત થયા હોવાની ઘટના સામે આવી છે, જ્યાં બે કારો વચ્ચે ભીષણ ટક્કર થઇ હતી. આ ઘટનામાં કુલ ૧૨ લોકોના મોત થયા છે, જયારે અન્ય ૨ ઘાયલ પણ થયા છે.

આ ૧૨ મૃતકોમાંથી એક જ પરિવારના ૫ લોકો શામેલ છે. આ અકસ્માત ઉજ્જૈનના રામગઢ ગામ નજીક થયો હતો, જ્યાં મારુતિ વાનમાં સવાર લોકો એક લગ્નના સમારોહમાંથી પાછા ફરી રહ્યા હતા ત્યારે સામેથી ફૂલ સ્પીડે આવી રહેલી એક હેક્સા કારે આ વાનને ટક્કર મારી હતી.

SP નાહર સિંહે કહ્યું હતું કે, “મારુતિ વાન કાર અને હેક્સ કાર વચ્ચે આ ભીષણ ટક્કર થઇ હતી. આ વાન નાગદાથી ઉજ્જૈન તરફ જઈ રહી હતી અને એમાં કુલ ૧૨ લોકો સવાર હતા. જયારે સામેથી આવી રહેલી હેક્સા કારમાં માત્ર ડ્રાઈવર જ હતો.

આ ભીષણ ઘટનામાં બીજી ગાડીમાં લાગેલી એરબેગ ખુલી જવાના કારણે ડ્રાઈવરનો જીવ બચી ગયો હતો, પરંતુ તે ઘાયલ થયો હતો. ત્યારબાદ તેને સારવાર માટે ઈન્દોર ખાતે ખસેડવામાં આવ્યો છે.