Not Set/ રાજકોટ કોંગ્રેસનું રાજકારણ ફરી ગરમાયું, કોંગ્રેસ કોર્પોરેટરો આવશે અમદાવાદમાં

રાજકોટ કોંગ્રેસનું રાજકારણ ફરી ગરમાયું હોવાનું સામે આવી રહ્યું છે. રાજકોટનાં કોંગ્રેસ તમામ કોર્પોરેટરો આજે અમદાવાદમાં આવશે અને રાજકોટ કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુને ફરી કોંગ્રેસમાં લેવા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને રજૂઆત કરશે. રાજકોટ કોર્પોરેશનનાં તમામ કોંગ્રેસી કોર્પોરેટર સહિત રાજકોટ શહેર અને જીલ્લા કોંગ્રેસ પ્રતિનીધીઓ આજે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મળી રજૂઆત કરશે. તમામ […]

Top Stories Gujarat Rajkot
indranil rajyaguru 759 e1543908185587 રાજકોટ કોંગ્રેસનું રાજકારણ ફરી ગરમાયું, કોંગ્રેસ કોર્પોરેટરો આવશે અમદાવાદમાં

રાજકોટ કોંગ્રેસનું રાજકારણ ફરી ગરમાયું હોવાનું સામે આવી રહ્યું છે. રાજકોટનાં કોંગ્રેસ તમામ કોર્પોરેટરો આજે અમદાવાદમાં આવશે અને રાજકોટ કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુને ફરી કોંગ્રેસમાં લેવા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને રજૂઆત કરશે.

રાજકોટ કોર્પોરેશનનાં તમામ કોંગ્રેસી કોર્પોરેટર સહિત રાજકોટ શહેર અને જીલ્લા કોંગ્રેસ પ્રતિનીધીઓ આજે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મળી રજૂઆત કરશે. તમામ નેતા સૌરાષ્ટ્ર કોંગ્રેસનાં નેતા અને સનિષ્ઠ કાર્યકર એવા વશરામ સાગઠિયાની આગેવાનીમાં રજુઆત કરશે.

આપને જણાવી દઇએ કે, ઇન્દ્રનીલ રાજ્યગુરૂ રાજકોટનાં પૂર્વ ધારાસભ્ય છે, ગુજરાતનાં કરોડપતિ રાજકારણીઓમાં અવ્વલ છે. અને લોક પ્રશ્ને વાંચા આપવામાં અને સૌરાષ્ટ્ર ગ્રામ્ય અને શહેરી વિસ્તારનાં તેમની પક્કડ ખુબ સાચી હોવાનું માનવામાં આવે છે. રાજ્યગુરૂ ગત વિધાનસભામાં ગુજરાતનાં તતકાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીની સામે રાજકોટમાં ચૂંટણી લડ્યા હતા. અને હાર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન