- તત્કાલીન જનતાદળના વડા ચીમન પટેલ હતા રાજ્યસભાના સભ્ય
- વર્ષ-1990માં હતા ચીમન મહેતા રાજ્યસભાના સભ્ય
- વર્ષ-1993માં ચીમન શુક્લ પણ હતા રાજ્યસભના સાંસદ
- વર્।-1999માં વાંકાનેરના લલિત મહેતા હતા રાજ્યસભાના સાંસદ
- વર્ષ-2002 – 2006 સુધી કેશુભાઇ પટેલે કર્યું રાજકોટનું પ્રતિનિધિત્વ
- વર્ષ-2006-2012 સુધી વિજય રૂપાણી બન્યા હતા રાજ્યસભાના સાંસદ
- અંતે અભય ભારદ્વાજ પર ઉતારી હતી પસંદગી…
- હવે અભય ભારદ્વાજની ખાલી જગ્યા માટે રામભાઇ મોકરિયા
@અરુણ શાહ, મંતવ્યન્યૂઝ, અમદાવાદ
રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કરતાં બે સાંસદ અહેમદ પટેલ અને અભય ભારદ્વાજના નિધનના પગલે બે બેઠક ખાલી પડી છે. બંન્ને નેતાના નિધનના પગલે ખાલી પડેલી બેઠક માટે 1 માર્ચે રાજ્યસભાની પેટાચૂંટણી યોજાશે. આ હેતુ ભાજપે બંન્ને ઉમેદવાર તરીકે રામભાઇ મોકરિયા અને દિનેશ પ્રજાપતિના નામ ઉપર મંજૂરીની મહોર લગાવી છે. રામભાઇ મોકરિયા મૂળ રાજકોટના વતની છે. ત્યારે વર્ષ-1990 થી રાજ્યસભામાં રાજકોટનું પ્રતિનિધિત્વ રહ્યું છે.
કયા સમયે કોનું પ્રતિનિધિત્વ
રાજ્યસભામાં સૌરાષ્ટ્ટ – રાજકોટનો અગાઉ જે દબદબો રહ્યો છે તે પ્રમાણે વર્ષ-2021માં પણ અનેક લોકોના અન્નદાતા રહેલાં રામભાઇ મોકરિયા પર ભાજપે પસંદગી ઉતારી રાજકોટનો દબદબો યથાવત રાખ્યો છે.
ગાંધીનગર / ભારતમાં કુદરતી તેલ મર્યાદિત પ્રમાણમાં મળે છે, 85 ટકા ક્રૂડ વિદેશથી આયાત કરવું પડે : નીતિન પટેલ
વડોદરા / ચૂંટણી પ્રચારમાં છવાયો પેટ્રોલ ડિઝલનો ભાવવધારો, કોંગ્રેસના ઉમેદવારે કાઢી સાયકલ ઉપર રેલી
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…