Rani Mukherji/ બીજા સંતાન વિશે વાત કરતા રાની મુખર્જીનું છલકાયું દર્દ…

અભિનેત્રીએ તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે કેટલાય વર્ષો સુધી તેને ગર્ભપાતના દુખથી પસાર થવું પડ્યું હતું. તે સમય તેના માટે ઘણો મુશ્કેલ રહ્યો હતો. મેં પોતાના બીજા સંતાન માટે સાત………..

Entertainment
Beginners guide to 14 4 બીજા સંતાન વિશે વાત કરતા રાની મુખર્જીનું છલકાયું દર્દ...

Entertainment News: બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક ગણાતી રાની મુખર્જી વર્ષોથી ફિલ્મી પડદા પર રાજ કરી રહી છે. 46 વર્ષની ઉંમરે પણ તે ખૂબસુરત લાગે છે. તાજેતરમાં રાની મુખર્જીએ પોતાની જીંદગીના ઘણા રહસ્યો ખોલ્યા છે. રાનીએ પોતાના ગર્ભાપાતના દુ:ખ વિશે પણ વાત કરી છે. તેણીએ કહ્યું કે આદિરાને જન્મ આપ્યા બાદ સાત વર્ષ થઈ ગયા તેમ છતાં તેને નાનો ભાઈ કે બહેન આપી શકી નથી.

અભિનેત્રીએ તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે કેટલાય વર્ષો સુધી તેને ગર્ભપાતના દુખથી પસાર થવું પડ્યું હતું. તે સમય તેના માટે ઘણો મુશ્કેલ રહ્યો હતો. મેં પોતાના બીજા સંતાન માટે સાત વર્ષ સુધી પ્રયત્ન કર્યો હતો, પરંતુ ,ફરીથી માતા બની ન શકી. આદિરાના જન્મ પછીથી ફરીથી ફેમિલી પ્લાનિંગ શરૂ કરી દીધું હતું.

લાખો પ્રયત્ન બાદ તે ગર્ભવતી થઈ હતી પરંતુ તે બાળકને ગુમાવવી દેવું પડ્યું હતું. જે સમય ઘણો કપરો હતો. આદિરા અત્યારે 8 વર્ષની થઈ ગઈ છે. કોવિડ વખતે ગર્ભપાત મહત્વનો ફૈક્ટર બની ગયો હતો. હજુ સુધી તેમાંથી બહાર આવી શકી નથી. તકલીફોથી બહાર આવવાનું અત્યારે તે શીખી રહી છે.

રાનીએ કહ્યું કે, તે સમય મારા માટે સરળ નહોતો, આ કોઈ પરીક્ષાથી ઓછું નહોતું. હવે મારી ઉંમર એ નથી રહી કે હું બીજુ બાળક પેદા કરી શકું. મારા માટે આ દુખદ છે કે હું મારી દીકરીને બીજા ભાઈ-બહેન આપી શકતી નથી. ગર્ભપાત અંગે વાત કરતા કહ્યું કે મને અફસોસ છે પરંતુ આપણી પાસે જે છે અને જે નથી તેના માટે હંમેશા આભારી રહેવું જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવા દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરાઈ

આ પણ વાંચો:મોબાઈલ વાપરતા યુવકનું મોત, આ એક ભૂલ કરોડો લોકોને કરે છે સતર્ક

આ પણ વાંચો:અલગતાવાદી શબ્બીર અહેમદ સાથે પુત્રીએ તોડ્યો નાતો, કહ્યું- હું ભારતની છું

આ પણ વાંચો:કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેની કારને થયો જોરદાર અકસ્માત, કન્ટેનર સાથે અથડાઈ