New Delhi News: ઈસ્લામિક સ્ટેટ ખોરાસાને રશિયા પર હુમલો કર્યા બાદ ભારતને ધમકી આપી છે. ધ ‘ઈસ્લામિક સ્ટેટ વિલ એન્ડયોર’ શીર્ષકવાળા લેખમાં ISKPનો સફાયો કરવા તાલિબાનના દાવાની મજાક ઉડાવી છે.
ISKP ખોરાસનમાં વધુ મજબૂત બની રહ્યું છે. ISKPએ દુનિયાના તમામ કાફિરો અને ઈસ્લામિક દેશોમાં તેમની કઠપૂતળીઓએ મુસ્લિમો પર કરેલા અત્યાચારોની કિંમત ચૂકવવી પડશે. ‘ઈસ્લામિક સ્ટેટ વિલ એન્ડયોર’ શીર્ષકવાળો લેખ વોઈસ ઓફ ખોરાસન મેગેઝિનની નવી આવૃતિમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ જ મેગેઝિનના અન્ય લેખ, ‘ધ સ્પાઈડર હાઉસ’માં આઈએસકેપીએ ચેતવણી આપી છે કે તાલિબાન અને અન્ય કઠપૂતળી પશ્ચિમી ઈસ્લામિક દેશો દ્વારા કાફિરોને સુરક્ષા આપવામાં આવશે નહીં. તે ટૂંક સમયમાં જ નાસ્તિકોના આ રક્ષકોને હરાવીને અમેરિકા, યુરોપ, ચીન, ભારત અને ઈરાન સુધી પહોંચી જશે.
‘વોઈસ ઓફ ખોરાસન’ મેગેઝિનમાં ધ ઈન્ડિયન કિંગ્સ એન્ડ તાલિબાન સર્વન્ટસ શીર્ષકથી લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં ધાર્મિક સ્થળો પર લોહી નદીઓ વહેવડાવવામાં આવશે. જેમાં ભારત અને તાલિબાનના સંબંધો પર વિસ્તૃત લખાયું છે.
આ પણ વાંચોઃઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરમાં પૂજા દરમિયાન આગ ફાટી નીકળતાં 5 લોકો દાઝ્યાં
આ પણ વાંચોઃ ડાકોરમાં રંગોત્સવને લઈ હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર
આ પણ વાંચોઃ પૂર્ણિમાના દિવસે ડાકોરમાં લાખો ભક્તોએ રણછોડરાયના દર્શન કર્યા…
આ પણ વાંચોઃ IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા