Banaskantha News: અંબાજીમાં દર્શન કરવા જતા ભક્તો માટે મોટા સમાચાર છે. તંત્ર દ્વારા 6 દિવસ માટે ગબ્બર પર રોપ-વે દ્વારા જતા ભક્તો માટે નિર્ણય લેવામાં આવ્યો છે. વાર્ષિક મેઈન્ટેન્સની કામગીરીના ભાગરૂપે 11 થી 16 માર્ચ સુધી રોપવેની સેવા બંધ રહેશે.
બનાસકાંઠામાં આવેલા પવિત્ર યાત્રાધામ અંબાજીમાં દર્શન કરવા જતા માઈભક્તો માટે 6 દિવસ ગબ્બર પર રોપવે સેવા બંધ રહેશે. વાર્ષિક મેઈન્ટેન્સની કામગીરીના ભાગરૂપે 11 થી 16 માર્ચ સુધી રોપવેની સેવા બંધ રહેશે. 17મી માર્ચથી રાબેતા મુજબ રોપ વેની સેવા શરૂ કરવામાં આવશે.
એટલે કે જે ભક્તોને ગબ્બર પર માતાજીના દર્શનાર્થે જવું હોય તો પગપાળા જવાનું થશે. ગબ્બર પર અખંડ જ્યોતના દર્શન કરવા ભક્તો જતા હોય છે.
આ પણ વાંચો:લદ્દાખમાં 371 આર્ટિકલ લાગુ કરવાની અમિત શાહની તૈયારી
આ પણ વાંચો:Unhygienic Food/ નડિયાદની તુલસી રેસ્ટોરન્ટમાં ફાફડામાંથી જીવાત નીકળતા ગ્રાહકોમાં રોષ