ઉત્તરાખંડ/ હરિદ્વાર મહાકુંભમાં આજે શાહી સ્નાન, કોરોનાનાં નિયમોનું કરાયુ ઉલ્લંઘન, ઘણા સાધુઓ પોઝિટિવ

આજે હરિદ્વાર મહાકુંભનું બીજું શાહી સ્નાન છે. શાહી સ્નાન પ્રસંગે તમામ અખાડાનાં સંતો આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. આ સાથે જ સામાન્ય લોકો પણ મોટી સંખ્યામાં હરિદ્વાર પહોંચ્યા છે

India
mmata 30 હરિદ્વાર મહાકુંભમાં આજે શાહી સ્નાન, કોરોનાનાં નિયમોનું કરાયુ ઉલ્લંઘન, ઘણા સાધુઓ પોઝિટિવ

આજે હરિદ્વાર મહાકુંભનું બીજું શાહી સ્નાન છે. શાહી સ્નાન પ્રસંગે તમામ અખાડાનાં સંતો આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. આ સાથે જ સામાન્ય લોકો પણ મોટી સંખ્યામાં હરિદ્વાર પહોંચ્યા છે અને શાહી સ્નાન કરી રહ્યા છે. શાહી સ્નાન દરમિયાન કોરોના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવ્યા. ઘણા સાધુઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાનાં નિયમનો ભંગ થતો હોવા છતા ઉત્તરાખંડ પોલીસ આ નિયમોનું પાલન કરવામાં અસમર્થ સાબિત થઇ રહી છે.

રાજકારણ / ભાજપ MLA ને જયરાજસિંહે લખ્યો ખુલ્લો પત્ર, ઇન્જેક્શનની ખરીદી જેવા અલગ-અલગ મુદ્દે માંગ્યો ખુલાસો

આપને જણાવી દઇએ કકે, આ બધાની વચ્ચે નેપાળનાં અંતિમ રાજા જ્ઞાનેન્દ્ર વીરસિંહ પણ હરિદ્વાર પહોંચ્યા, જેમનું ઉત્તરાખંડનાં મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે સ્વાગત કર્યું હતું. હરિદ્વાર મહાકુંભમાં ભીડ જોવા મળી રહી છે અને કોરોના નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે. અહીં ન તો માસ્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કે ન તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવી રહ્યું છે.  ભીડને કારણે, કોરોના પ્રોટોકોલનાં નિયમો પણ ઘણા સ્થળોએ તૂટતા જોવા મળ્યા છે. ન તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવી રહ્યું છે અને ન કોઈ માસ્ક દેખાઇ રહ્યુ છે. કુંભ મેળાનાં આઈજી સંજય ગુંજ્યાલ કહે છે કે, સૌ પ્રથમ શાહી સ્નાનમાં અખાડાને મંજૂરી આપવામાં આવી હતી, ત્યારબાદ સામાન્ય લોકોને સાંજે 7 વાગ્યાથી શાહી સ્નાન કરવાની છૂટ આપવામાં આવે છે.

અમદાવાદ: ઝાયડસ હોસ્પિટલ ખાતે વહેલી સવારથી ઇન્જેક્શન લેવા લોકોની લાંબી લાઇન

શાહી સ્નાનનાં એક દિવસ પહેલા, ઉત્તરાખંડમાં કોરોનાનાં ભયાનક આંકડાઓ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં, સંક્રમણનાં 1,333 નવા કેસ નોંધાયા હતા જ્યારે 8 લોકોનાં મોત નીપજ્યાં હતાં. વળી, દહેરાદૂનમાં 582, હરિદ્વારમાં 386, નૈનિતાલમાં 122 કોરોનાનાં નવા કેસ સામે આવ્યા છે. રવિવારે હર કી પૌડી પર ટેસ્ટિંગ દરમિયાન નવ લોકો કોરોનાથી સંક્રમિત હોવાનુ સામે આવ્યુ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ