- શૈક્ષણિક પ્રવાસે નીકળેલી બસને નડ્યો અકસ્માત
- અંકલેશ્વરની અમૃતપુરા પ્રા.શાળાના વિદ્યાર્થીઓને અકસ્માત
- બસમાં 54 વિદ્યાર્થીઓ સવાર હતા
- 20થી વધુ વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજા
- ચીખલી-નવસારીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
નવસારીના ચીખલી તાલુકાના કુકેરી ચક્કરીયા ગામે એક સ્કુલ બસ પલ્ટી ખાઈ ગઈ છે. જેમાં ખુશખુશાલ મુડમાં શાળાના પ્રવાસે નીકળેલા વિદ્યાર્થીઓ બેઠા હતા. અને અચાનક બસે પલટી મારતા 20 થી વધુ ભૂલકાઓ ઈજાગ્રસ્ત બન્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વરના અમૃતપુરા પ્રાથમિક શાળા દ્વારા ધોરણ 4 થી 8ના બાળકોને ખાનગી બસમાં સાપુતારા ખાતે પ્રવાસમાં લઈ જવાયા હતા. દરમિયાન ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. આ બસમાં સવાર 54 જેટલા બાળકોમાંથી 20 થી વધુ બાળકોને ઈજા થતા સારવાર અર્થે ચીખલીની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જયાં 9 જેટલા બાળકોને ગંભીર ઈજા હોવાથી વધુ સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ સ્થાનિક ધારાસભ્ય નરેશ પટેલ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા અને તંત્રને વહેલીતકે અને સારી સારવાર આપવાની સૂચના આપી હતી.
રૂશ્યંત શર્મા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.