ચેન્નઇઃ તમિલનાડૂના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના નિધન પાછળ કારણને સ્પષ્ટ કરતા ચેન્નઇની અપોલો હૉસ્પિટલે એક પ્રેસ કૉંફરન્સનું આયોજન કર્યું હતું. ડૉક્ટરે જાનકારી આપી હતી કે, જયલલીતાની મૃત્યું ગંભીર ઇન્ફેક્શન લાગવાને લીધે થયું હતું. અને તેમના અંગોએ કામ કરવાનું છોડી દીધું હતું.
જયલલિતાના નિધન બાદ ફેલાયેલી અફવાહને શાંત કરવા માટે પ્રેસ કૉન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા ડૉક્ટરોએ કહ્યું હતું કે, કાર્ડિયક અરેસ્ટ આવવાના એક સપ્તાહ પહેલા સુધી જયલલીતા ઇશારાથી વાતચિત કરી શક્તા હતા. અને પોતાની વાત સમજાવવાનો પ્રયત્ન પણ કરતા હતા. અંતિમ સમયમાં તેમણે જોવા આવેલા બ્રિટિશ ડૉક્ટર રિચર્ડ બેલે કહ્યું હતું કે, ‘તેમના અંગોમાં ઇન્ફેક્શન થઇ ગયું હતું. જેના લીધે તેમનું મૃત્યું થયું હતું’
ડૉક્ટરોએ કહ્યું છે કે, ત્રણ મહીના હસ્પિટલમાં રહ્યા બાદ 5 ડિસેમ્બરે જયલલિતને અચાનક હાર્ટઅટેક આવ્યો હતો. તેમની આ હાલતનો કોઇને અંદાજ નહોતો. ડૉ. બેલનું કહેવું છે કે, પૂર્વ મુખ્યમંત્રીને શ્વાસ લેવામાં તકલીપ પડી રહી હતી. ત્યાર બાદ તેમને હૉસ્પિટલ લાવવામાં આવ્યા હતા. શરૂઆતમાં ઇન્ફેક્શન બાદ તેમની તબિયતમાં સુધારો આવ્યો હતો. તે હોશમાં હતા. અને ઇશારમાં વાતચિત કરી શક્તા હતા. ડૉં બેલે કહ્યું હતું કે, તેમની હાલત સારી હતી. ડૉ. બેલે કહ્યું હતું કે, તેમની હાલત એટલી સારી હતી કે, જ્યારે મે તેમને કહ્યું કે, હું અંહીનો ઇન્ચાર્જ છું. તો તેમણે કહ્યું કે, ‘નહી, ઇન્ચાર્જ હૂં છું’