સિદ્ધારામૈયા-સીએમ/ કર્ણાટકના સીએમ પદે સિદ્ધારામૈયા નિશ્ચિતઃ શિવકુમારને મનાવવામાં લાગેલી કોંગ્રેસ

કર્ણાટકના સીએમ પદે સિદ્ધારામૈયા લગભગ નિશ્ચિત થઈ ગયા છે. કોંગ્રેસ હાઈકમાન્ડ બુધવારે તેમના નામ પર મહોર લગાવી શકે છે. જ્યારે હાલમાં કોંગ્રેસ શિવકુમારને મનાવવામાં લાગેલી છે.

Top Stories India
Sidharamaih CM 1 કર્ણાટકના સીએમ પદે સિદ્ધારામૈયા નિશ્ચિતઃ શિવકુમારને મનાવવામાં લાગેલી કોંગ્રેસ

કર્ણાટકના આગામી મુખ્યમંત્રી કોણ હશે તે અંગે Sidharamaih-Karnatak CM કોંગ્રેસ હાઈકમાન્ડે હજુ સુધી કોઈ જાહેરાત કરી નથી. વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયાને ત્રણ દિવસથી વધુનો સમય થઈ ગયો છે, પરંતુ હજુ પણ મુખ્યમંત્રીના નામ પર મંથન ચાલી રહ્યું છે. પૂર્વ સીએમ સિદ્ધારમૈયા અને કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારનું નામ સીએમની રેસમાં છે. Sidharamaih-Karnatak CM જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ રેસમાં સિદ્ધારમૈયાએ શિવકુમારને પાછળ છોડી દીધા છે.

કર્ણાટકના સીએમ બનશે સિદ્ધારમૈયા!
કર્ણાટકના સીએમ પદે સિદ્ધારામૈયા લગભગ નિશ્ચિત થઈ ગયા છે. કોંગ્રેસ હાઈકમાન્ડ બુધવારે તેમના નામ પર મહોર લગાવી શકે છે. જ્યારે હાલમાં કોંગ્રેસ શિવકુમારને મનાવવામાં લાગેલી છે. આ પછી, બેંગલુરુમાં ધારાસભ્ય દળની બેઠક બોલાવીને તેની ઔપચારિક જાહેરાત કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

શિવકુમારે રજૂ કર્યો દાવો
મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુનના નિવાસસ્થાને Sidharamaih-Karnatak CM મુખ્યમંત્રીના નામને ફાઈનલ કરવા માટે એક બેઠક બોલાવવામાં આવી હતી. મંગળવારે બપોરે બેંગલુરુથી દિલ્હી પહોંચેલા શિવકુમાર ખડગેને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, શિવકુમારે કર્ણાટક ચૂંટણીમાં સંગઠનની આગેવાનીથી પાર્ટીમાં આપેલા યોગદાનને ટાંકીને સ્પષ્ટપણે કહ્યું કે તેઓ મુખ્યમંત્રી પદના સ્વાભાવિક દાવેદાર છે. હવે કર્ણાટકના રાજકારણમાં તેમની સાથે નવી પેઢીનો સમય છે.

ડીકે શિવકુમારે સિદ્ધારમૈયાની ખામીઓ ગણાવી હતી

અગાઉ ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા મંગળવારે Sidharamaih-Karnatak CM અલગ-અલગ મલ્લિકાર્જુન ખડગેને મળ્યા હતા. આ દરમિયાન તેમણે પાર્ટી નેતૃત્વને સિદ્ધારમૈયાની ખામીઓ દર્શાવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર શિવકુમારે ખડગેને કહ્યું હતું કે સિદ્ધારમૈયાનો અગાઉનો કાર્યકાળ સારો રહ્યો ન હતો. લિંગાયત સમુદાય પણ તેની વિરુદ્ધ છે. તેમણે કહ્યું હતું કે, જો સિદ્ધારમૈયાને પહેલા જ સીએમ બનાવી દેવામાં આવ્યા છે તો હવે શા માટે અન્ય કોઈને તક ન મળે.

શિવકુમારે ખડગેને કહ્યું હતું કે 2019માં ગઠબંધન તૂટવાનું કારણ પણ સિદ્ધારમૈયા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, મારો મુખ્યમંત્રી બનવાનો સમય આવી ગયો છે અને હાઈકમાન્ડે મને તક આપવી જોઈએ. મેં 2019 પછી પાર્ટીને પુનર્જીવિત કરી. જો પાર્ટી મને મુખ્યમંત્રી પદ આપશે તો હું પ્રદેશ પ્રમુખ તરીકેની જેમ જવાબદારી નિભાવીશ, અન્યથા હું માત્ર ધારાસભ્ય રહીશ.

રાહુલ ગાંધીએ ખડગે સાથે 90 મિનિટ સુધી મુલાકાત કરી 

આ પહેલા મંગળવારે રાહુલ ગાંધી તેમને મળવા મલ્લિકાર્જુન Sidharamaih-Karnatak CM ખડગેના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે 90 મિનિટ સુધી મુલાકાત ચાલી હતી. આ બેઠકમાં કર્ણાટકના સીએમના નામ પર ચર્ચા થઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસના કર્ણાટક પ્રભારી રણદીપ સુરજેવાલા અને મહામંત્રી કેસી વેણુગોપાલ હાજર હતા. આ પછી વેણુગોપાલ રાહુલ ગાંધી સાથે તેમના નિવાસસ્થાને પણ મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે અંતિમ નિર્ણય લેતા પહેલા સોનિયા ગાંધી સાથે પણ ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચોઃ IPL 2023/ રોમાંચક મેચમાં લખનૌએ મુંબઈને પાંચ રને હરાવ્યું, છેલ્લી ઓવરમાં 11 રન ન બનાવી શક્યું

આ પણ વાંચોઃ Accident/ આસામની ‘લેડી સિંઘમ’નું અકસ્માતમાં મોત, પરિવાર કહ્યું આ હત્યા છે

આ પણ વાંચોઃ Karnataka BJP President/ કર્ણાટકમાં ભાજપની હારની આડઅસર! આ મોટા નેતાને પદ પરથી હટાવાશે