કર્ણાટકમાં ચુંટણીની તારીખ નજીક આવતી જાય છે અને રાજનીતિક આરોપ-પ્રત્યારોપની રાજનીતિ પણ તેજી લેતી જાય છે. આ વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને નોટીસ મોકલાવી છે અને તેમને ચેતવણી આપી છે કે તેઓ આપરાધિક અને દીવાની માનહાનિનો કેસ દાખલ કરશે. એવું માનવામાં આવે છે કે સિદ્ધારમૈયા પર કથિત ભ્રષ્ટાચાર પર મોદીએ અને અમિત શાહે નિશાના સાધ્યા હતા.
સિદ્ધારમૈયાએ આ સાથે જ ભાજપના મુખ્યમંત્રી પદના ઉમ્મેદવાર બી એસ યેદીયુરપ્પા વિરુદ્ધ પણ નોટીસ મોકલી છે જેના વિરુદ્ધ કોંગ્રેસે લગાતાર ભ્રષ્ટાચારના આરોપ લાગાવ્યા છે. આ નોટીસમાં તેમણે શરત વગર માફી માગે અથવા 100 કરોડનો માનહાની કેસનો સામનો કરવા માટે તૈયાર રહે.
કીધું 10 ટકા કમીશન સરકાર:
મોદીએ સિદ્ધારમૈયા વિરુદ્ધ કથિત ભ્રષ્ટાચારણે લઈને આરોપ લગાવવામાં આવ્યા છે કે તેમની સરકાર “સીધાં રૂપૈયા સરકાર” અને “10 ટકા કમીશન સરકાર” છે.
મોદીએ પોતાના પ્રચાર અભિયાન સમયે એવો આરપ પણ લગાડ્યો હતો કે તેમની સરકાર જ્યાં વેપાર કરવામાં સરળતાની વાત કરી રહી છે સિદ્ધારમૈયા સરકાર “હત્યામાં સરળતા” નો માહોલ આપી રહી છે.
સિદ્ધારમૈયાએ પોતાના નોટીસમાં પ્રધાનમંત્રી અને અન્યથી માંગ કરી છે કે તેઓ ઇલેક્ટ્રોનિક, પ્રિન્ટ અને સોશિયલ મીડિયાના સહારે તુરંત ‘સાર્વજનિક રૂપે માફી માંગે’ અને એવું નહિ તો સંવેધાનિક કાર્યવાહી માટે તૈયાર રહેવાની વાત કહી છે.
સિદ્ધારમૈયાએ પોતાના વકીલ અને કોંગ્રેસના વિધાન પરિષદ સદસ્ય વિ એસ ઉગરાપ્પાના સહારે મોકલેલી નોટીસમાં જણાવ્યું છે કે બધા ભારતીય દંડ સંહિતાની અલગ અલગ ધારાઓ અંતર્ગત દંડનીય અપરાધ કર્યા છે