મેલબોર્ન
ઓસ્ટ્રેલિયા સામે શરૂ થઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં સતત નિષ્ફળ રહેલા બંને ઓપનરો મુરલી વિજય અને કે એલ રાહુલને ટીમની બહાર કાઢવામાં આવ્યા છે.
બુધવારે મેલબોર્નમાં રમાનારી ટેસ્ટમાં ઈજાગ્રસ્ત અશ્વિનને પણ ટીમની બહાર રખાયો છે.પહેલીવાર ટેસ્ટ રમી રહેલ મયંક અગ્રવાલ સાથે હનુમા વિહારી ઓપનિંગ કરી શકે છે.
બીસીસીઆઈએ કરેલી ટીમની જાહેરાત પ્રમાણે રવીન્દ્ર જાડેજા અને ઓપનર મયંક અગ્રવાલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયાના બંને ઓપનરો રાહુલ અને મુરલીએ છેલ્લી 8 ઈંનિંગમાં 95 રન જ બનાવ્યા છે.
ત્રીજી ટેસ્ટ માટે ભારતીય ટીમ: રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, રિષભ પંત, હનુમા વિહારી, રવિન્દ્ર જાડેજા, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ