Not Set/ નાગપુર ટેસ્ટ : ભારતીય ટીમનો ઇનિગ્સ અને ૨૩૯ રનથી શાનદાર વિજય

નાગપુરમાં રમાઈ રહેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે એક ઇનિગ્સ અને ૨૩૯ રનથી શાનદાર વિજય મેળવ્યો છે. આ સાથે ભારતીય ટીમે ૩ ટેસ્ટ મેચની શ્રેણીમાં ૧-૦ ની લીડ મેળવી લીધી છે. ભારત તરફથી મળેલી ૪૦૫ રનની લીડ સામે મેદાને ઉતરેલી શ્રીલંકન ટીમ બીજા દાવમાં માત્ર ૧૬૬ રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતીય […]

Top Stories
627830 cricket india vs sl નાગપુર ટેસ્ટ : ભારતીય ટીમનો ઇનિગ્સ અને ૨૩૯ રનથી શાનદાર વિજય

નાગપુરમાં રમાઈ રહેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે એક ઇનિગ્સ અને ૨૩૯ રનથી શાનદાર વિજય મેળવ્યો છે. આ સાથે ભારતીય ટીમે ૩ ટેસ્ટ મેચની શ્રેણીમાં ૧-૦ ની લીડ મેળવી લીધી છે. ભારત તરફથી મળેલી ૪૦૫ રનની લીડ સામે મેદાને ઉતરેલી શ્રીલંકન ટીમ બીજા દાવમાં માત્ર ૧૬૬ રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતીય ટીમ તરફથી સર્વાધિક આર. અશ્વિને ૪ વિકેટ જયારે ઇશાંત શર્મા, રવીન્દ્ર જાડેજા અને ઉમેશ યાદવે અનુક્રમે ૨-૨ વિકેટ ઝડપી હતી.

આ પહેલા પ્રથમ ઈનિંગમાં શ્રીલંકન ટીમે ૨૦૫ રન નોધાવ્યા હતા જયારે ભારતીય ટીમે ૬૦૫ રનનો વિશાળ સ્કોર ખડકયો હતો. ભારત તરફથી કેપ્ટન કોહલીએ કારકિર્દીની ૫ મી બેવડી સદી ફટકારી હતી.