હૈદરાબાદ,
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રાજકોટમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચથી પોતાના ટેસ્ટ કેરિયરની શરૂઆત કરનાર ઓપનર બેટ્સમેન પૃથ્વી શોની ખુબ પ્રશંસા થઇ રહી છે. આ ક્રિકેટરની તુલના ભારતના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સહેવાગ સાથે થઈ રહી છે, ત્યારે આ વચ્ચે ભારતીય ટીમના કેપ્ટન કોહલીએ પણ શોની પ્રાશંસા કરી છે.
પૃથ્વી શોની ખુબ પ્રશંસા કરતા કોહલીએ કહ્યું, ” પૃથ્વીની ઉંમરમાં તો હું અથવા તો કોઈ અન્ય ખેલાડી તેના જેવું ૧૦ ટકા જેટલી ક્રિકેટની રમત રમી શકતા ન હતા”.
ટીમ ઇન્ડિયાના કેપ્ટને કહ્યું હતું કે, “૧૮-૧૯ વર્ષની ઉંમરમાં પૃથ્વી જે છે. મને નથી લાગતું કે, અમારામાંથી કોઈ શો જેવું કોઈ રહ્યું હોય”.
વિરાટ કોહલીએ વધુમાં કહ્યું હતું કે, “આ (પૃથ્વી શો)એ ટીમમાં મળેલા મૌકાને સારી રીતે નિભાવ્યો છે. જયારે તમે પોતાની પ્રથમ સિરીઝ રમી રહ્યા હોય અને સારું પ્રદર્શન કરી રહ્યા હોય ત્યારે તેનું માન વધી જાય છે.
પૃથ્વી શોની પ્રશંસા કરતા કોહલીએ ઉમેર્યું હતું કે, “તે જરૂર એક નીડર ખેલાડી છે, પરંતુ તે બેજવાબદાર નથી. શોને પોતાની રમતપ્ર સંપૂર્ણ ભરોષો છે. તમે એવું ઈચ્છી રહ્યા હશો કે, તે ટુંક જ સમયમાં કિનારો લઈને આઉટ થઇ જશે, પરંતુ તે ક્યારેક જ બોલ પે બેટનો કિનારો લગાવે છે.
મહત્વનું છે કે, વેસ્ટ ઇન્ડીઝ સામેની બે મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર પૃથ્વી શોને આગામી સમયમાં ઓસ્ટ્રેલિયાના કપરા પ્રવાસમાંથી પણ પસાર થવાનું છે, ત્યારે આ શ્રેણીમાં પણ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે.