ભાવનગર/ ગારીયાધારમાં એસટીના કંડક્ટરને દોડાવી દોડાવીને માર્યો ઢોરમાર, હુમલામાં કંડક્ટરને ગંભીર ઈજા પહોંચી

ભાવનગરના ગારીયાધારમાં એસટીના કંડક્ટર પર હુમલાનો બનાવ બન્યો છે.

Gujarat Others
કંડક્ટર પર હુમલાનો બનાવ

ભાવનગરના ગારીયાધારમાં એસટીના કંડક્ટર પર હુમલાનો બનાવ બન્યો છે. ફાટેલી નોટ બદલી આપવા મામલે થયેલા ઝઘડામાં ટોળાએ કંડક્ટરને ઢોરમાર મારતા તે ગંભીરપણે ઘાયલ થયો હતો. આ અંગે ગારીયાધાર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ગારીયાધારના પરવડી ગામે આ બનાવ બન્યો હતો. જેમાં સામાન્ય બાબતે ટોળાએ કંટક્ટર પર હુમલો કર્યો હતો. ફાટેલી નોટ બદલાવી આપવા મામલે ઝઘડો થતા ઉશ્કેરાયેલા ટોળાએ એસટીના કંડકટરને ઢોરમાર માર્યો હતો. એટલું જ નહી ટોળાએ કંડક્ટરને દોડાવી દોડાવીને માર માર્યો હતો. જેમાં તે ગંભીરપણે ઘાયલ થયો હતો.

હુમલામાં ગંભીરપણે ઘાયલ કંટક્ટરને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં હુમલાખોરો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

@નિકુંજ પટેલ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Polo Forest/પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓનો ઉપયોગ કરશો તો દંડાશો, સાબરકાંઠા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું

આ પણ વાંચો:અકસ્માત/સુરતમાં કાળમુખી સીટી બસે ફરી અકસ્માત સર્જ્યો,એક જ પરિવારના 3ને અડફેટે લીધા

આ પણ વાંચો:અમદાવાદ/આંબાવાડીમાં ભેખડ ધસી પડતા કિશોરનું મોત,ફાયર બ્રિગેડની છ ગાડીઓ….