Sabarkantha News: વિજયનગરના પોળોના જંગલમાં (Polo Forest) પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પર્યાવરણની (Environment) જાળવણી માટે પ્લાસ્ટિકના ઉપયોગથી જંગલને નુકસાન થતું અટકાવી શકાય તે માટે સાબરકાંઠા જીલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે.
![]()
સાબરકાંઠાના વિજયનગરમાં આવેલા પોળોના જંગલમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રવાસીય સ્થળ એવું પોળોના જંગલમાં પર્યાવરણ અને વન્ય પ્રાણીઓને થતાં વ્યાપક નુકસાનને પગલે પ્રવાસીઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા પર પ્રતિબંધ મૂકાયો છે. તેમજ પ્રવાસીઓને તેનો ઉપયોગ ન કરવા પર ચેતવણી અપાઈ છે.

જાહેરનામામાં જણાવાયું છે કે 18 ડિસેમ્બર, 2024 સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા પર પ્રતિબંધ મૂકાયો છે. પોળોના જંગલમાં પ્લાસ્ટિકના વેચાણ અને ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકાયો છે. તેમજ હુકમનો ભંગ કરવા બદલ 188 મુજબ ફોજદારી ગુનો નોંધવામાં આવશે.

પોળોના શરણેશ્વર મંદિરથી લઇ જંગલ વિસ્તાર વણજ ડેમના ત્રણ રસ્તા સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દિવાળીના તહેવારમાં મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે. પર્યટકો ખાણીપીણી સાથે પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ જંગલ વિસ્તારમાં ફેંકતા પોલ્યુશન ન ફેલાય તે માટે પ્રતિબંધ મૂકી દેવાયો છે. ઇકો ટુરિઝમ હેઠળ આ જગ્યા પર કુદરતી સૌંદર્ય જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવતા હોય છે. ચાર પૈડા અને તેનાથી ભારે વાહનો પર પ્રતિબંધ લાગૂ પડશે.

આ અગાઉ જંગલમાં પ્લાસ્ટિકની તમામ ચીજ વસ્તુઓના ઉપયોગ પર અને જંગલ વિસ્તારમાં ટુ વ્હીલર સિવાયના ભારે વાહનો પર પ્રતિબંધ મૂકાયો હતો. આ અંગેનું જાહેરનામું જીલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:રાજકોટના પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ
આ પણ વાંચો:પાકિસ્તાને શા માટે પ્લાસ્ટિક પોલિમર નોટોનો વપરાશ કરવાનું શરૂ કર્યું?
આ પણ વાંચો:ભારતીયો રોજ પેટમાં પધરાવે છે પ્લાસ્ટિક, જાણો કઈ રીતે?

