રાજ્યમાં કોરોના નવા કેસ કરતા સ્વાસ્થ્યના લોકોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે આજે ફરી એક વખત રાજ્યમાં 263 નવા કેસ નોંધવામાં આવ્યા છે જ્યારે વધુ 271 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી ના પરિણામે ઘણા દિવસોથી કોરોના નવા કેસની સંખ્યા સ્થિર જોવા મળી રહી છે.
Corona case / સાઉથ આફ્રિકાથી પરત ફરનાર 4 લોકોમાં કોવિડના નવા સ્ટ્રેનના લક્ષણો નોંધાયા હતાં, 1 માં બ્રાઝિલનો સ્ટ્રેન
રાજ્યમાં કોરોના ના કુલ 1699 કેસ એક્ટિવ છે. જેમાંથી 30 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 1669 દર્દીઓની તબિયત સ્થિર છે.રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,59,655 દર્દીઓએ કોરોના સામે જીત મેળવી છે અને સાજા થયા છે. કોરોનાના કારણે રાજ્યમાં આજે માત્ર એક દર્દીનું મોત થયું હોવાનું નોંધવામાં આવ્યું છે. આ સાથે રાજ્યનો કુલ મૃત્યુઆંક 4,402 થયો છે. તેમજ રાજ્યના રિકવરી 97.70% નોંધવામાં આવ્યો છે.
Election / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના કુલ 219 ઉમેદવારોની બિનહરીફ જીત, પ્રદેશ પ્રમુખ પાટીલની સત્તાવાર જાહેરાત
Election / ભાજપ હવે રામ ભરોસે, પ્રદેશ અધ્યક્ષ પાટીલે 21 મિનિટના ભાષણમાં 14 મિનીટ રામ મંદિર, કલમ 370 વગેરે મુદ્દાઓ ગણાવ્યા
રાજ્યમાં ગત 16 જાન્યુઆરી થી કોરોના રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેને એક માસ પૂર્ણ થયો છે. ત્યારે આજે વધુ 355 કેન્દ્ર પર 5,293 વ્યક્તિઓને કોરોના ની રસી આપવામાં આવી છે અત્યાર સુધીમાં 8,01,912 વ્યક્તિઓને રસીકરણ કરવામાં આવ્યું છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…