લઠ્ઠાકાંડ/ બરવાળા લઠ્ઠાકાંડની અસર છેક સુરત સુધી, ખાનગી બસનો ક્લીનર લઠ્ઠો પી પહોચ્યો સુરત,પછી….

ખાનગી બસમાં ક્લીનર તરીકે નોકરી કરતા બળદેવ નામના વ્યક્તિએ બરવાળામાં દેશી દારૂ પીધો હોવાની વાત કરી છે. તેણે બે દિવસ પહેલા દારૂ પીધો હતો, ત્યારબાદ તેની તબિયત બગડી હતી

Top Stories Gujarat Surat
ક4 1 2 બરવાળા લઠ્ઠાકાંડની અસર છેક સુરત સુધી, ખાનગી બસનો ક્લીનર લઠ્ઠો પી પહોચ્યો સુરત,પછી....

બરવાળામાં ઝેરી દારૂની ઘટનાની ઘટના હવે સુરત સુધી પહોંચી છે. ખાનગી બસમાં ક્લીનર તરીકે નોકરી કરતા બળદેવ નામના વ્યક્તિએ બરવાળામાં દેશી દારૂ પીધો હોવાની વાત કરી છે. તેણે બે દિવસ પહેલા દારૂ પીધો હતો, ત્યારબાદ તેની તબિયત બગડી હતી. સુરત પહોંચતા જ તેણે અચાનક દ્રષ્ટિ ગુમાવી હતી. અને બેભાન થયો હતો. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. બસના ચાલક અને અન્ય લોકોએ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

ખાનગી બસના માલિકે જણાવ્યું કે, ક્લીનર બળદેવે બરવાળામાં દારૂ પીધો હતો, ત્યારબાદ ત્યાં તેની તબિયત બગડી હતી, પરંતુ ત્યાંની હોસ્પિટલમાં સારવાર બાદ તેને સારું લાગ્યું હતું અને તેના કારણે તે બસમાં સુરત પરત ફર્યો હતો. જો કે સુરતના કતારગામ વિસ્તારમાં રાત્રે બસ ઉભી રાખી ત્યારે અચાનક બલદેવ બીમાર પડી ગયો હતો. બલદેવે કહ્યું કે તેની દ્રષ્ટિ બંધ થઈ ગઈ અને પછી તેણે ભાન ગુમાવ્યું. આ બાબત અમારા ધ્યાન પર આવતા જ અમે તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ આવ્યા હતા

કતારગામ પોલીસ ઈન્સ્પેક્ટર બી.ડી. ગોહિલે જણાવ્યું કે બસના માલિકે અમને જણાવ્યું છે કે બરવાળામાં બળદેવ નામના વ્યક્તિએ દારૂ પીધો હતો. તેણે એમ પણ કહ્યું હતું કે, ત્યાં દારૂ પીધા પછી તેની તબિયત બગડી હતી, પરંતુ તે સ્વસ્થ થઈને બસમાં સુરત આવ્યો હતો અને ફરીથી તબિયત બગડતાં તેને અહીં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. હવે અમે મામલાની તપાસ કરી રહ્યા છીએ. બલદેવની સારવાર ચાલી રહી છે.

સાબરકાંઠા / PM મોદીએ સાબર ડેરી મિલ્ક પાવડર પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન