સુરત,
સુરતના લીંબયાત વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. ભીષણ આગને કારણે ભંગારનો સમાન બળીને ખાખ થઇ ગયો હતો. જો કે ઘટનાના પગલે ફાયર વિભાગની ટીમને કાર્યરત કરવામાં આવી હતી અને ફાયર વિભાગની 3 ટીમે કામગીરી હાથ ધરી આગ પર કાબુ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે શોર્ટસર્કિટથી આગ લાગી હોવાનુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. સદ્દનસીબે કોઇ જાનહાનિ થઇ નથી.