સુરત,
કાપડ બજારોમાં પ્રખ્યાત એવા સુરતમાં રોજબરોજ કોરોડો રુપિયાનો વેપારીઓ વેપાર કરી રહ્યા છે. ત્યારે સુરતના કાપડ ઉદ્યોગમાં આર્થિક ગુન્હાઓનું પ્રમાણ વધી રહ્યુ છે. વેપારીઓ ઉધાર વેપાર કરે છે અને ઘણીવાર તેના નાણા ન મળે તેવી પણ ઘટનાઓ બને છે.
આથી વેપારીઓએ તેની મુશ્કેલી દુર કરવા સંઘના પ્રમુખને રજૂઆત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સુરત વ્યાપારી સંઘના પ્રમુખ સંજય જગનાનીએ જણાવ્યુ હતુ કે, અમે વેપારીઓની સાથે છેતરપીંડી થઇ રહી છે અને આર્થિક ગુના નિવારણ શાખા ખોલીને વેપારીઓની મુશ્કેલી દૂર કરવામાં આવે એવી માંગણી પણ કરવામાં આવી છે.