@દિવ્યેશ પરમાર
Surat News: સુરત શહેરમાં ટ્રાવેલ્સ એસોસિએશન પ્રમુખ દિનેશ અણઘણ સામે કતારગામ પોલીસ મથકમાં ખંડણીની ફરિયાદ નોંધાઇ છે.પી પી સવાણી યુનિવર્સિટી બાબતે રસ્તો બનાવવા બબાલ કરી 25 લાખ રૂપિયાની માગ કતી હોવાના આક્ષેપ સાથે ખંડણી ની ફરિયાદ નોંધાઇ હતી.
સુરતમાં ટ્રાવેલ્સના પ્રમુખ વિરુદ્ધ કતારગામ પોલીસ મથકમાં ખંડણીની ફરિયાદ નોંધાય છે ટ્રાવેલ્સ એસોસિએશન ના પ્રમુખ દિનેશ અણઘણ સામે 25 લાખની ખંડણી માંગ્યા હોવાના આરોપસર કતારગામ પોલીસ મથકમાં હિરજી તેજાણી નામના ફરિયાદીએ કતારગામ પોલીસ મથકમાં ખંડણીની ફરિયાદ નોંધાઈ હતી.
પી પી સવાણી યુનિવર્સિટીમાં રોડ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં દિનેશ અણઘણે તકરાર કરી હતી.ત્યારબાદ રસ્તો બનાવવા માટે 25 લાખની ખંડણી માંગી હતી અને ખંડણી ના આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપ હિરજી તેજાણી નામના વ્યક્તિ એ કરી હતી.જેથી કતારગામ પોલીસ મથક માં ટ્રાવેલ્સ એસોસિયેશનના પ્રમુખ દિનેશ અણઘણ સામે ખંડણીની ફરિયાદ નોંધાઈ હતી.
મહત્વનું છે કે આ ઘટના બનતા ની સાથે જ લક્ઝરી બસ એસોસિએશનમાં અનેક ચર્ચાઓ જાગી છે કારણ કે ટ્રાવેલ્સ એસોસિએશનના પ્રમુખ દિનેશ અણઘણ દ્વારા ખંડણી માંગી હોવાની ફરિયાદ હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:રાજકોટમાં મુખવાસના વેપારી પર આરોગ્ય વિભાગની તવાઈ
આ પણ વાંચો:DRIની મોટી કાર્યવાહી, વાપી GIDCમાંથી 180 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું
આ પણ વાંચો:દિવાળીને લઈને જામ્યો બજારમાં ખરીદીનો માહોલ, પોલીસે ડેમો કરી લોકોને જાગૃત કર્યા
આ પણ વાંચો:માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવકમાં વધારો, સોયાબીનની આવકમાં બમ્પર વધારો