તમિલનાડુના મુખ્ય પ્રધાન એમ કે સ્ટાલિને મંગળવારે કેન્દ્રીય બજેટ 2022 ને લોકોના કલ્યાણને ભૂલી ગયેલું ગણાવ્યું અને GST મામલે રાજ્ય સરકારોની માંગને અવગણી છે જેના લીધે તેમણે કેન્દ્રની ટીકા કરી હતી
સ્ટાલિને કહ્યું કે વ્યક્તિગત આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર નથી, ત્રણ ફાર્મ કાયદાનો વિરોધ કરતા મૃત્યુ પામેલા ખેડૂતો માટે કોઈ કલ્યાણ યોજના નથી, રાજ્યને પૂર રાહત ફાળવણી નથી અને તમિલનાડુ સરકારની પ્રોજેક્ટ દરખાસ્તો માટે કોઈ ભંડોળ પણ નથી.
#Budget2022 presented by the Finance Minister is anti-federal & anti-people.
With the nation awaiting a relief during the pandemic, what this Government has offered is an inept attempt at relief, especially after 7 years of sheer misgovernance at the national level. pic.twitter.com/nLbi9enJHO
— M.K.Stalin (@mkstalin) February 1, 20
મુખ્યમંત્રીએ કહ્યું કે, બજેટ તમિલનાડુ અને તેના લોકો માટે મોટી નિરાશા છે. જો કે ગોદાવરી-પેન્નાર-કાવેરી નદી લિંક પ્રોજેક્ટ માટે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાની જાહેરાત એ આશ્વાસનનો વિષય છે, ચિંતાની વાત એ છે કે તેને અમલમાં મૂકવા માટે પ્રારંભિક અંદાજપત્રીય ફાળવણી પણ નથી. તમિલનાડુમાં સંરક્ષણ કોરિડોરની પહેલ માટે કોઈ ફાળવણી ન હોવાથી, આ ક્ષેત્રમાં પણ રાજ્યની અવગણના કરવામાં આવી છે, એમ તેમણે આક્ષેપ કર્યો હતો.