train fire/ તામિલનાડુ પોલીસે ટ્રેનમાં આગ લાગવાના કેસમાં કેટરિંગના પાંચ કર્મચારીઓની કરી ધરપકડ

ટ્રેનના ડબ્બાની અંદર રાંધણગેસ સિલિન્ડરના ગેરકાયદેસર ઉપયોગને કારણે નવ લોકોના મોત થયા હતા.

Top Stories India
6 1 17 તામિલનાડુ પોલીસે ટ્રેનમાં આગ લાગવાના કેસમાં કેટરિંગના પાંચ કર્મચારીઓની કરી ધરપકડ

તામિલનાડુ પોલીસે સોમવારે ટ્રેનના કોચમાં આગ લાગવાના સંબંધમાં પાંચ કેટરિંગ સ્ટાફની ધરપકડ કરી હતી, ટ્રેનના ડબ્બાની અંદર રાંધણગેસ સિલિન્ડરના ગેરકાયદેસર ઉપયોગને કારણે નવ લોકોના મોત થયા હતા.

ઉલ્લેખનીય છે કે તમિલનાડુમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. પેસેન્જર ટ્રેનમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં  9 લોકોના મોત થયા હતા. જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. દક્ષિણ રેલવેના એક અધિકારીએ કહ્યું છે કે પેસેન્જર કમ્પાર્ટમેન્ટમાં ગેસ સિલિન્ડર ગેરકાયદેસર રીતે લાવવામાં આવ્યા હતા, જેના કારણે આગ લાગી હતી.