તેલુગુ અભિનેતા ચંદ્ર મોહનનું 11 નવેમ્બરે હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં નિધન થયું છે. તેમણે 82 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ છેલ્લા કેટલાક સમયથી હૃદય સંબંધિત બિમારીઓથી પીડિત હતા. તેમના નિધનના સમાચાર સાંભળ્યા બાદ સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ છે.
ચંદ્ર મોહનના અંતિમ સંસ્કાર 13 નવેમ્બરે કરવામાં આવશે
ચંદ્ર મોહનના પરિવારજનોનું કહેવું છે કે ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે તેઓ લાંબા સમયથી બીમાર હતા અને સવારે લગભગ 9:45 વાગ્યે તેમનું હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમણે જણાવ્યું કે તેમના અંતિમ સંસ્કાર 13 નવેમ્બરે હૈદરાબાદમાં કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ચંદ્ર મોહન પોતાની પાછળ પત્ની જલંધરા અને બે દીકરીઓને છોડી ગયા છે.
કોણ હતા ચંદ્ર મોહન?
ચંદ્ર મોહનનો જન્મ 23 મે, 1943ના રોજ આંધ્ર પ્રદેશમાં થયો હતો. તેમનું સાચું નામ મલ્લમપલ્લી ચંદ્રશેખર રાવ છે. તેઓ પીઢ દિગ્દર્શક અને દાદાસાહેબ ફાળકે એવોર્ડ વિજેતા કે વિશ્વનાથના પિતરાઈ ભાઈ પણ હતા, જેનું ફેબ્રુઆરી 2023 માં અવસાન થયું હતું. ચંદ્ર મોહન સાઉથ સિનેમાનું મોટું નામ હતું. તેણે પોતાના કરિયરની શરૂઆત વર્ષ 1966માં ફિલ્મ ‘રંગુલા રત્નમ’થી કરી હતી. તે પછી તેણે ‘પધારેલા વાયાસુ’, ‘સિરી સિરી મુવા’, ‘સીતામલક્ષ્મી’, ‘રાધા કલ્યાણમ’, ‘શંકરભરનમ’ અને ‘ચંદમામા રાવે’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. તેમને બેસ્ટ એક્ટર અને કેરેક્ટર આર્ટિસ્ટ માટેના બે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યા હતા. આ ઉપરાંત તેમણે રાજ્ય સરકાર તરફથી પણ અનેક એવોર્ડ જીત્યા હતા.
આ પણ વાંચો:Rashmika Mandanna Deepfake Video/રશ્મિકા મંદાનાના ડીપફેક વીડિયો કેસમાં દિલ્હી પોલીસની કાર્યવાહી, FIR બાદ શરૂ થઈ તપાસ
આ પણ વાંચો:Sunny Leone/સન્ની લિઓન જેને શોધી રહી હતી તે છોકરી મળી, જેના પર તેને 50,000 રૂપિયાનું ઈનામ રાખ્યું હતું
આ પણ વાંચો:Virat and Anushka/શું વિરાટ કોહલી ફરી પિતા બનશે? અનુષ્કા શર્મા પોતાના બેબી બમ્પને છુપાવ્યો..