વડોદરા,
વડોદરા વાઘોડિયા તાલુકાના ઇશ્વરપરામાં તસ્કરોનો આતંક સામે આવ્યો છે. ઇશ્વરપુરામાં તસ્કરોએ લોકોના ઘરમાં ઘૂસી લૂંટ ચલાવીને મારમાર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. તસ્કરો પાસે તિક્ષ્ણ હથિયારો સાથે આતંક મચાવ્યો હતો. ધાડપાડુ અને સ્થાનિકો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. મારામારીમાં સ્થાનિકો લોકો ઇજા થતા તેઓેને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં લઇ ગયા હતા.