- ગુજરાતના શિક્ષણ જગતના સૌથી મોટા સમાચાર
- 8 ફેબ્રુઆરીથી ફર્સ્ટ યરના ક્લાસ થઇ શકે છે શરૂ
- કોલેજોમાં વધુ એક યર શરૂ કરવાની સરકારની યોજના
- ચાર લાખ વિદ્યાર્થીઓને અસર કરતો નિર્ણય
- ટૂંક સમયમાં રાજ્ય સરકાર જાહેર કરશે ગાઇડલાઇન
કોરોનાકાળનાં કારણે છેલ્લા લગભગ 1 વર્ષથી શિક્ષણ જગતને મોટી ફટકાર લાગી છે. ત્યારે હાલમાં રાજ્યમાં મંદ પડી રહેલા કોરોનાવાયરસને ધ્યાનમાં રાખી શિક્ષણ જગતને લઇને સરકાર મોટો નિર્ણય લઇ શકે તેવા સુત્રો દ્વારા સમાચાર સામે આવી રહ્યા છે.
સુત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર, કોલેજોમાં સરકાર વધુ એક યર શરૂ કરવાની યોજના બનાવી રહી છે. જણાવી દઇએ કે, 8 ફેબ્રુઆરીથી ફર્સ્ટ યરનાં ક્લાસ શરૂ થઇ શકે છે. જો આ નિર્ણય લેવામાં આવે છે તો તેનાથી અંદાજે 4 લાખ વિદ્યાર્થીઓને અસર થઇ શકે. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, રાજ્ય સરકાર ટૂંક સમયમાં ગાઇડલાઇન જાહેર કરી શકે છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…