Accident/ રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલા 12 લોકોના મૃતદેહ ભાવનગર લવાશે

રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માતમાં 12 લોકોના મોત નિપજયા હતા ,જયારે 20 ગંભીર રીતે ઘાયલ થયા હતા. રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં આ અકસ્માત સર્જાયો હતાે

Top Stories Gujarat
2 2 6 રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલા 12 લોકોના મૃતદેહ ભાવનગર લવાશે

રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માતમાં 12 લોકોના મોત નિપજયા હતા ,જયારે 20 ગંભીર રીતે ઘાયલ થયા હતા. રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં આ અકસ્માત સર્જાયો હતાે,જેમાં  એક ટ્રકે બસને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો, આ ગમખ્વાર અકસ્માતમાં 12 લોકો મૃત્યુ પામ્યા હતા એમાંથી 11 લોકો ભાવનગરના હતા તેમના મૃતદેહને વતન પરત લવાશે. ઉલ્લેખનીય છે કે મૃતક 12 લોકોમાંથી 11 લોકો ભાવનગરના તળાજા તાલુકાના દિહોર ગામના વતની હતા, જયારે એક મહિલા ભાવનગર શહેરના વતની હતા

નોંધનીય છે કે આ ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામનાર તમામના મૃતદેહ ભાવનગર લાવવામાં આવશે.હાલ તંત્રએ મૃતદેહને પરત લાવવાની પ્રક્રિયા હાથ ધરી છે. આવતીકાલે સવાર સુધીમાં તમામ મૃતદેહો ભાવનગર પહોંચી જશે. ત્યારબાદ મૃતકોની અંતિમવિધિ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ ગમખ્વાર અકસ્માતમાં ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વિટ કરીને શોકની લાગણી વ્યક્ત કરી હતી.   ‘રાજસ્થાનના ભરતપુર નજીક થયેલ માર્ગ અકસ્માતની ઘટના ખૂબ આઘાતજનક છે. અકસ્માતમાં ગુજરાતના યાત્રિકોએ જીવ ગુમાવ્યો છે. સૌ મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્ત યાત્રિકો જલ્દીથી સાજા થાય તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું.’

Jammu Kashmir/અનંતનાગમાં આતંકીઓ સાથેની અથડામણમાં ત્રણ જવાન શહીદ